Skip to main content

Gujarat Rain: નવરાત્રિમાં જ વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીએ કરી અતિભારે વરસાદની આગાહી


<p><strong>Paresh Goswami weather prediction:</strong> હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે જે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ રહ્યું હતું, તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે. આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન બનવાની સંભાવના છે, જે ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યના 50 થી 60 ટકા વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે હોવાનું અનુમાન છે.</p> <p><strong>ચોમાસાની વિદાય અટકી</strong><strong>, </strong><strong>ગુજરાતમાં વરસાદનું નવું અનુમાન</strong></p> <p>ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી હતી, પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, જે રીતે ચોમાસાના આગમન વખતે 'મોન્સુન બ્રેક'ની સ્થિતિ સર્જાતી હોય છે, તે જ રીતે અત્યારે વિદાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે. આ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થવા જઈ રહેલી એક નવી સિસ્ટમ છે.</p> <p><strong>આગામી દિવસોમાં વરસાદની શક્યતા</strong></p> <p>ગોસ્વામીએ જણાવ્યું કે તાજેતરમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન તેમણે કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના સુરત, મધ્ય ગુજરાતના અમદાવાદ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ તો 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ વરસાદી માહોલ 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, ત્યારબાદ થોડા દિવસ માટે વાતાવરણ સ્વચ્છ રહેશે.</p> <p><strong>નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદનો મોટો રાઉન્ડ</strong></p> <p>પરેશ ગોસ્વામીના લાંબા ગાળાના અનુમાન મુજબ, આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. વર્તમાન મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. જો આ ટ્રેક બદલાશે નહીં, તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતના લગભગ 50 થી 60 ટકા ભાગોમાં વરસાદ પડશે. આ વરસાદ તોફાની સ્વરૂપનો હશે, જેમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.</p> <p><strong>કયા વિસ્તારોમાં ભારે વરસાદ</strong><strong>?</strong></p> <p>આગામી વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. અહીં 1 થી 3 ઇંચ અને અમુક જગ્યાએ તો 3 થી 5 ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે.</p> <p>ગોસ્વામીના મતે, આ વરસાદ આ વર્ષના ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હોઈ શકે છે. આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે અને ત્યારબાદ જો કોઈ વરસાદ પડશે તો તેને માવઠાં તરીકે ગણવામાં આવશે. આ આગાહી ખેડૂતો અને નવરાત્રિના આયોજકો બંને માટે મહત્વપૂર્ણ છે, જેથી તેઓ આયોજન કરી શકે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...