Skip to main content

ગુજરાત હવામાન: પરેશ ગોસ્વામીની મોટી આગાહી; 18 તારીખે માવઠાની અફવા કે હકીકત? જાણો ઠંડીનું જોર ઘટશે કે વધશે


<p><strong>Gujarat weather update:</strong> હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 18 નવેમ્બર આસપાસ રાજ્યમાં માવઠાની જે વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તે સંપૂર્ણપણે અફવા છે અને ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, 10 નવેમ્બરથી શરૂ થયેલો ઠંડીનો પ્રથમ રાઉન્ડ સારો રહ્યો છે, પરંતુ 18 કે 19 નવેમ્બરથી તાપમાન થોડું ઊંચકાશે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. જોકે, આ ફેરફાર શિયાળુ પાકોના વાવેતરને અસર નહીં કરે.</p> <p><strong>ઠંડી અને તાપમાનનું વિશ્લેષણ</strong></p> <p>પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 10 નવેમ્બરથી શિયાળાની ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને ઠંડીનો પ્રથમ તબક્કો સારો અનુભવાયો છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે નવેમ્બર મહિનામાં 'કોલ્ડ વેવ' એટલે કે ગાત્રો થીજવતી તીવ્ર ઠંડીની શક્યતા નહિવત હોય છે, તે સામાન્ય રીતે ડિસેમ્બરમાં જોવા મળે છે. આગામી દિવસોમાં, ખાસ કરીને 18 અથવા 19 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી, તાપમાનનો પારો થોડો ઊંચો જશે, જેના પરિણામે ઠંડીના પ્રભાવમાં થોડો ઘટાડો જોવા મળશે.</p> <p><strong>18 તારીખના માવઠાની અફવાનું ખંડન</strong></p> <p>હાલ સોશિયલ મીડિયા પર 18 નવેમ્બર આસપાસ રાજ્યમાં માવઠું થવાની અફવાઓ ચાલી રહી છે, જે અંગે પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં ખંડન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે 18 તારીખની આસપાસ ગુજરાતના કોઈપણ ખૂણામાં માવઠું થવાની કોઈ જ શક્યતાઓ નથી. તેમણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આવી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.</p> <p><strong>25 નવેમ્બરની સિસ્ટમ અને ગુજરાત</strong></p> <p>ઘણા વેધર એપ્લિકેશનો 25 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનતી દર્શાવી રહ્યા છે, જેના કારણે પણ ખેડૂતોમાં ચિંતા છે. આ અંગે પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ સિસ્ટમ બનશે, પરંતુ તેનાથી ગુજરાતને ડરવાની બિલકુલ જરૂર નથી. આ સિસ્ટમ દક્ષિણ ભારત તરફ અસર કરે તેવી શક્યતા છે, કારણ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં હજુ ચોમાસાનો પ્રભાવ હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ ચૂકી હોવાથી આ સિસ્ટમની અસર ગુજરાત પર થવાની સંભાવના નથી.</p> <p><strong>ખેડૂતો માટે સલાહ અને નવેમ્બરનો અંદાજ</strong></p> <p>સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, સંપૂર્ણ નવેમ્બર મહિનો માવઠા-મુક્ત રહેવાની પ્રબળ સંભાવના છે. ખેડૂતો માટે આ સૌથી રાહતના સમાચાર છે. ભલે 19 થી 24 નવેમ્બર વચ્ચે ઠંડીમાં આંશિક ઘટાડો થાય અને તાપમાન ઉંચકાય, તેમ છતાં વાતાવરણ શિયાળુ પાકના વાવેતર માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે. ખેડૂતો કોઈપણ ચિંતા વિના તેમના શિયાળુ પાકનું વાવેતર કાર્ય ચાલુ રાખી શકે છે, કારણ કે વાતાવરણ ડિસ્ટર્બ થવાની હાલ કોઈ શક્યતા નથી. નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનો સામાન્ય માહોલ યથાવત રહેશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...