Skip to main content

વલસાડમાં 7 લાખથી વધુ મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ:SIR-2026 પ્રક્રિયામાં 52% કામગીરી; 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે


https://ift.tt/gchrNaR વલસાડ જિલ્લામાં SIR-2026 અને ડિજિટલ મતદાર નોંધણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 13,85,807 મતદારોમાંથી 7,07,955 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ કામગીરીના 52 ટકા જેટલી છે. આ કામગીરીમાં 4 BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 100 ટકા નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય ફોટા સાથે ફોર્મ ભરવા, સંપૂર્ણ વિગતો આપવા અને ઘર-ઘર મુલાકાત દરમિયાન BLOને સહકાર આપવા અપીલ કરી છે. વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR પ્રક્રિયા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે ડિજિટલ મતદાર યાદી માટેના આવશ્યક ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. આ સમયમર્યાદા સુધીમાં ફોર્મ ન ભરનાર મતદારોના નામ યાદીમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાશે. જિલ્લામાં 15-16 અને 22-23 નવેમ્બર, 2025ના રોજ "ખાસ દિવસો" તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશેષ અભિયાનને કારણે મતદાર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લા ચૂંટણી તંત્રના મતે, સ્થાનિક અગ્રણીઓના સહકારથી BLOની કામગીરી વધુ સરળ બની છે. જો 2024ની મતદાર યાદીમાં મતદાર અથવા તેમના પરિવારના સભ્યોનું નામ નોંધાયેલું હતું, તો BLO દ્વારા મુલાકાત લઈને વિગતો યથાવત્ રાખવામાં આવશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો મતદારો voters.eci.gov.in અથવા chunavsetu-search.gujarat.gov.in વેબસાઇટ્સ દ્વારા ઓનલાઈન નામ ચકાસી શકે છે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તેવા કિસ્સામાં એક જ પુરાવો પૂરતો રહેશે. જોકે, 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજો ફરજિયાત રહેશે.મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને રેશન કાર્ડ સહિતના વિવિધ દસ્તાવેજો માન્ય ગણાશે. નવી માર્ગદર્શિકા 02-08-2024થી અમલમાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને સમયસર તેમની માહિતી ચકાસીને જરૂરી સુધારા કરાવવા અપીલ કરી છે. SIR-2026 માટેના મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ: ગણતરી સમયગાળો: 01-11-2025 થી 04-12-2025, ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન: 05-12-2025, દાવા-આપત્તિઓ માટેનો સમયગાળો: 05-12-2025 થી 02-01-2026, નોટિસ તબક્કો: 03-01-2026 થી 31-01-2026, અંતિમ યાદીનું પ્રકાશન: 05-02-2026.જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ મતદારોને સજાગ રહીને જરૂરી વિગતો સમયસર પૂરી પાડવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં SIR–2026 અંતર્ગત નવી કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ : ગણતરી સમયગાળો : 01-11-2025 થી 04-12-2025 ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન : 05-12-2025 દાવા–આપત્તિ : 05-12-2025 થી 02-01-2026 નોટિસ તબક્કો : 03-01-2026 થી 31-01-2026 અંતિમ યાદી : 05-02-2026 જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને સજાગ રહી જરૂરી વિગતો સમયસર પૂરું પાડવા અનુરોધ કર્યો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...