Skip to main content

પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?


<p><strong>Gujarat politics 2025:</strong> વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા "પટ્ટા ઉતરાવી દેવાના" કથિત નિવેદને સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીથી પોલીસ જવાનો અને તેમના પરિવારજનોનું સ્વાભિમાન ઘવાયું છે. જેના ઘેરા પ્રત્યાઘાતો રૂપે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છમાં પોલીસ પરિવારો, સામાજિક સંસ્થાઓ અને વેપારીઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આંદોલનકારીઓની એક જ માંગ છે કે જીજ્ઞેશ મેવાણી તાત્કાલિક રાજીનામું આપે અથવા પોલીસ વિભાગની જાહેરમાં માફી માંગે.</p> <p><strong>પાટણમાં પોલીસ પરિવારોનો હુંકાર</strong></p> <p>જીજ્ઞેશ મેવાણીના નિવેદન સામે સૌથી પ્રબળ વિરોધ પાટણમાં જોવા મળ્યો હતો. અહીં પોલીસ હેડ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી પોલીસ પરિવારજનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ એક વિશાળ રેલી યોજી હતી. રેલીમાં જોડાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, ધારાસભ્ય કાં તો રાજીનામું આપે અથવા પોલીસ વિભાગ માટે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દો બદલ જાહેરમાં માફી માંગે.</p> <p><strong>બનાસકાંઠામાં વિરોધનો વંટોળ: થરાદ બંધ અને પાલનપુરમાં ધરણા</strong></p> <p>બનાસકાંઠા જિલ્લામાં પણ આ મુદ્દે વાતાવરણ ગરમાયું છે.</p> <p>પાલનપુર: અહીં એસપી (SP) કચેરી ખાતે અંદાજે 700 જેટલા પોલીસ પરિવારના સભ્યો એકઠા થયા હતા. હાથમાં પ્લે-કાર્ડ અને બેનરો સાથે મહિલાઓ અને યુવાનોએ "જીજ્ઞેશ મેવાણી હાય હાય"ના નારા લગાવીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.</p> <p>વાવ-થરાદ: સરહદી વિસ્તાર થરાદમાં પોલીસ પરિવારના સમર્થનમાં વેપારીઓ પણ મેદાનમાં આવ્યા હતા. મેવાણીના વિરોધમાં થરાદમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. વેપારીઓ અને નાગરિકોએ સાથે મળીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.</p> <p><strong>મહેસાણામાં રેલી યોજી માફીની માંગ</strong></p> <p>મહેસાણામાં પણ આ વિવાદના પડઘા પડ્યા છે. અહીં પોલીસ હેડ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા પોલીસ પરિવારજનોએ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનું કહેવું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસકર્મીઓનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં. તેમણે ધારાસભ્ય પાસે તાત્કાલિક માફીની માંગણી કરી છે.</p> <p><strong>કચ્છ સુધી પહોંચી વિરોધની આગ</strong></p> <p>ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. અહીં પણ પોલીસ પરિવારોની સાથે સ્થાનિક વેપારીઓ જોડાયા હતા અને જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર રાજ્યમાં પોલીસ બેડામાં અને તેમના પરિવારોમાં ધારાસભ્યના નિવેદનને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...