Skip to main content

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ


<p><strong>Gujarat air pollution:</strong> ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. સામાન્ય રીતે AQI 150 થી ઉપર જાય ત્યારે તે લોકોના આરોગ્ય માટે 'ઘાતક' સાબિત થાય છે. રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. ખાસ કરીને ચીખલી, દમણ, અમદાવાદ અને અંકલેશ્વર જેવા શહેરોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.</p> <p><strong>ગુજરાતના આ શહેરોમાં 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ</strong></p> <p>રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના 8 જેટલા મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.</p> <p>સૌથી પ્રદૂષિત શહેરો: રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાઈ છે, જ્યાં AQI 227 પર પહોંચ્યો છે. તેના પછી સંઘપ્રદેશ દમણનો ક્રમ આવે છે, જ્યાં આંકડો 213 નોંધાયો છે.</p> <p>અમદાવાદ અને અંકલેશ્વર: મેગા સિટી અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા બગડી છે અને અહીં AQI 195 પર પહોંચ્યો છે. રસાયણ નગરી ગણાતા ભરૂચના અંકલેશ્વરમાં પણ પ્રદૂષણનું સ્તર 195 ને પાર કરી ગયું છે, જે અત્યંત ચિંતાજનક છે.</p> <p>ભાવનગર: સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે, જ્યાં AQI 172 નોંધવામાં આવ્યો છે.</p> <p>જ્યારે એર ક્વોલીટી ઇન્ડેક્સ 150 થી વધી જાય છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે.</p> <p><strong>પ્રદૂષકો: PM2.5 શા માટે છે સૌથી વધુ જોખમી?</strong></p> <p>યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) મુજબ, હવાની ગુણવત્તા માપવા માટે અત્યાધુનિક સેન્સર્સ અને લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવામાં રહેલા પ્રદૂષકોમાં PM2.5, PM10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુખ્ય છે.</p> <p>આ તમામમાં PM2.5 (પાર્ટીક્યુલેટ મેટર) સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. આ કણોનું કદ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી પણ નાનું હોય છે. તેમનું કદ એટલું સૂક્ષ્મ હોય છે કે તે શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં અને ત્યાંથી લોહીના પ્રવાહમાં ભળી શકે છે. આને કારણે હૃદયરોગ, શ્વસનતંત્રના રોગો અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.</p> <p><strong>જાણો AQI સ્કેલ: ક્યારે સ્થિતિ બને છે ગંભીર?</strong></p> <p>ઇન્ટરનેશનલ એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) દ્વારા હવા કેટલી શુદ્ધ છે તેનું માપન 0 થી 500 ના સ્કેલ પર કરવામાં આવે છે. ચાલો સમજીએ કે કયો આંકડો શું સૂચવે છે:</p> <p>0 - 50 (સારું): હવા એકદમ શુદ્ધ છે. તમે કોઈપણ ડર વગર બહાર ફરી શકો છો.</p> <p>51 - 100 (મધ્યમ): મોટાભાગના લોકો માટે સ્વીકાર્ય છે, પરંતુ જેમને શ્વાસની તકલીફ છે તેમને સામાન્ય મુશ્કેલી થઈ શકે છે.</p> <p>101 - 150 (અસ્વસ્થ): આ સ્તરે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોએ સાવચેત રહેવું જોઈએ. બહારની પ્રવૃત્તિઓ ઓછી કરવી હિતાવહ છે.</p> <p>151 - 200 (જોખમી): આ સ્તર દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. ગુજરાતના ઘણા શહેરો હાલ આ કેટેગરીમાં છે.</p> <p>201 - 300 (ખૂબ જ હાનિકારક): આ સ્થિતિમાં બહાર નીકળવું ટાળવું જોઈએ. જેમને દમ કે અસ્થમા છે તેમણે ફરજિયાત ઘરમાં રહેવું જોઈએ.</p> <p>301+ (અત્યંત જોખમી): આ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, જ્યાં હવા શ્વાસ લેવા લાયક રહેતી નથી.</p> <p>હાલની સ્થિતિ જોતા, નાગરિકોએ ખાસ કરીને સવારના સમયે જ્યારે ધુમ્મસ અને પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગયું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...