Skip to main content

Gujarat CM Action: ભ્રષ્ટાચારીઓ સાવધાન! 'લોટ, પાણી ને લાકડા' હવે નહીં ચાલે, તૂટેલા રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ


<p><strong>gujarat road action:</strong> ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે જો નવા બનાવેલા રસ્તાઓ તૂટી ગયા હોય, તો માત્ર રિપેરીંગથી કામ નહીં ચાલે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાથી લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.</p> <p><strong>કેબિનેટ બેઠકમાં સીએમનો આકરો મિજાજ</strong></p> <p>ગાંધીનગર ખાતે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓના મુદ્દે ગંભીર નોંધ લીધી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમણે તમામ મંત્રીઓને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે અને ખરાબ કામગીરી કરનારા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે.</p> <p><strong>નવા રસ્તા તૂટ્યા તો પોલીસ ફરિયાદ નક્કી</strong></p> <p>મુખ્યમંત્રીની સૂચનામાં સૌથી મહત્વની બાબત 'જવાબદારી નક્કી' કરવાની હતી. તેમણે મંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે જો કોઈ વિસ્તારમાં તાજેતરમાં જ નવા રસ્તા બન્યા હોય અને તે ટૂંકા ગાળામાં તૂટી ગયા હોય કે ધોવાઈ ગયા હોય, તો તેને ગંભીર નિષ્કાળજી ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને જવાબદાર એજન્સી કે અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.</p> <p><strong>પ્રભારી મંત્રીઓને ફિલ્ડમાં ઉતરવા સૂચના</strong></p> <p>મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પોત-પોતાના મતવિસ્તાર ઉપરાંત જે જિલ્લાના તેઓ પ્રભારી છે, ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જણાવ્યું છે. મંત્રીઓએ સ્થળ પર જઈને રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવાનું રહેશે. જો તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર કે હલકી ગુણવત્તાનું કામ ધ્યાને આવે તો માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, કાયદાકીય રાહે પગલાં ભરવા અને જરૂર પડે તો ખાતાકીય તપાસ શરૂ કરાવવા માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે.</p> <p><strong>અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર વધશે દબાણ</strong></p> <p>સરકારના આ કડક વલણને કારણે હવે રોડ-રસ્તાના કામમાં લોટ, પાણી અને લાકડા જેવી નીતિ અપનાવતા કોન્ટ્રાક્ટરો અને આંખ આડા કાન કરતા અધિકારીઓ પર દબાણ વધશે. મુખ્યમંત્રીના આ આદેશનો ઉદ્દેશ્ય માત્ર રસ્તા સુધારવાનો નથી, પરંતુ ભવિષ્યમાં થતા કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સરકારી તિજોરીના પૈસાનો વ્યય ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...