Skip to main content

Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી


<p><strong>gujarat govt jobs:</strong> ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ખુશીના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત કર્મચારીઓને ભવિષ્ય માટે મહત્વની શિખામણ આપી હતી. તેમણે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે, હવે સમાજ તમને 'સાહેબ' કહીને બોલાવશે, પરંતુ ક્યારેય સત્તાના વહેમમાં આવીને જમીન પરથી પગ ઉંચા ન કરતા. જો 'સાહેબ' હોવાનો અહંકાર આવી જશે તો પતન નિશ્ચિત છે. તેમણે અરજદારો સાથે સારો વ્યવહાર કરવા અને માતા-પિતાને ક્યારેય ન ભૂલવાની ભાવુક અપીલ કરી હતી.</p> <p><strong>"સાહેબના વહેમમાં આવ્યા તો પતન નક્કી છે"</strong></p> <p>નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં યુવાનોને વાસ્તવિકતાનું ભાન કરાવતા કહ્યું હતું કે, સરકારી ખુરશી મળતાની સાથે જ તમારી આસપાસના લોકો તમને માન-સન્માન આપશે અને 'સાહેબ-સાહેબ' કહીને બોલાવશે. પરંતુ આ સંબોધનને તમારા મગજ પર હાવી થવા દેતા નહીં. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, "જો તમે 'સાહેબ' હોવાના વહેમમાં રાચવા લાગશો, તો તમારું પતન નક્કી છે. જે સંઘર્ષ અને રાત-દિવસની મહેનત કરીને તમે આ મુકામ સુધી પહોંચ્યા છો, તે ભૂતકાળને હંમેશા યાદ રાખજો અને જમીન સાથે જોડાયેલા (Down to earth) રહેજો."</p> <p><strong>અરજદારો સાથે સત્તાનો પાવર ન બતાવવા સલાહ</strong></p> <p>સરકારી કચેરીઓમાં આવતા સામાન્ય નાગરિકો સાથેના વર્તન વિશે શિખામણ આપતા તેમણે કહ્યું કે, તમારી પાસે આવતા નાનામાં નાના અરજદાર સામે ક્યારેય સત્તાનો પાવર બતાવશો નહીં. ગરીબ અને સામાન્ય લોકોને સમજીને તથા તેમને પ્રેમથી સમજાવીને કામ કરજો. જો તમે વડીલો અને અરજદારો સાથે વિવેક અને માનપૂર્વક વાત કરશો, તો તમારી તાકાત ઘટશે નહીં પણ વધશે. માત્ર વાહવાહી લૂંટવા માટે નહીં, પરંતુ સામાજિક જવાબદારી સમજીને લોકોના નાના-મોટા કામો કરતા રહેજો.</p> <p><strong>"સોશિયલ મીડિયા અને ભલામણોથી દૂર રહેજો"</strong></p> <p>હર્ષ સંઘવીએ પોતાના વ્યક્તિગત અનુભવના આધારે યુવાનોને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ચાલતી નકામી વાતો પર ધ્યાન આપવાને બદલે તમારા કામ પર ફોકસ કરજો. વહીવટી તંત્રમાં કામ કરતી વખતે કોઈ જનપ્રતિનિધિ (નેતા) કે અન્ય કોઈ વ્યક્તિ ભલે ગમે તે કહે અથવા ભલામણ કરે, તમારે હંમેશા સાચું અને હિંમતભેર કામ કરવાનું છે. સમાજમાં હકારાત્મક સુધાર લાવવા માટે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવજો.</p> <p><strong>4,473 યુવાનોના સપના સાકાર</strong></p> <p>ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 4,473 ઉમેદવારોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આ યુવાનો હવે પોતાની સેવા આપશે. અંતમાં મંત્રીએ તમામ યુવાનોને માતા-પિતાને ક્યારેય ન ભૂલવાની શીખ આપી હતી.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...