Skip to main content

Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ


<p><strong>ગાંધીનગર: &nbsp;</strong>હાલમાં સમગ્ર દેશમાં SIRની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ SIR ની &nbsp;કામગીરી શિક્ષિકો દ્વારા કરવામાં આવી રહી છે. &nbsp;ગુજરાતમાં પણ શિક્ષકો હાલમાં SIR ની કામગીરી કરી રહ્યા છે. &nbsp;શિક્ષકોને સોંપવામાં આવેલા આ કામને મામલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમકે શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. &nbsp;બીજી તરફ શિક્ષિકોમાં આ કામને લઈ જોરદાર તણાવ વધ્યાંની પણ એક ચર્ચા ચર્ચાઇ રહી છે. આ દરમિયાન છેલ્લા 3 દિવસમાં 2 શિક્ષકોના મૃત્યુએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દિધો છે. &nbsp;ખેડામાં એક શિક્ષકને હાર્ટઅટેક જ્યારે કોડિનારમાં એક શિક્ષકની આત્મહત્યાની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં શિક્ષકોમાં ભયંકર આક્રોશ છે. &nbsp;</p> <p><strong>3 દિવસમાં 2 શિક્ષકોના મોત&nbsp;</strong></p> <p>SIRની કામગીરી દરમિયાન &nbsp;2 શિક્ષકોના મોત થયા &nbsp;છે. આ ઘટનાની સાથે SIRની કામગીરીના કારણે &nbsp; શિક્ષકો પણ કામનો ડબલ બોજ વધી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. તણાવ વધતા &nbsp; શિક્ષકે &nbsp;આત્મઘાતી પગલું ભર્યું હોવાની ધારણા લોકો સેવી રહ્યાં છે. &nbsp;બીજી તરફ શિક્ષક વર્ગનો પણ કંઇક આવો જ સૂર છે કે શિક્ષણની સાથે આ કામગીરીની જવાબદારી આવતા શિક્ષકોનો માનસિક તણાવ વધી ગયો છે.&nbsp;</p> <p><strong>બે શિક્ષકના મૃત્યથી શિક્ષણ જગતમાં જોરદાર આક્રોશ</strong></p> <p>3 દિવસમાં BLOની કામગીરી સાથે સંકળાયેલા &nbsp;2 શિક્ષકના મૃત્યુના સમાચારને કારણ સમગ્ર ગુજરાતમાં શિક્ષણજગત સ્તબ્ધ થઈ ગયું છે. &nbsp;બે શિક્ષકના મૃત્યથી શિક્ષણ જગતમાં જોરદાર આક્રોશ છે. &nbsp;કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. &nbsp;અરવિંદ વાઢેરની કથિત સુસાઈડ નોટ પણ વાયરલ થઈ છે. &nbsp;</p> <p><strong>મૃતક શિક્ષકના પરિવારને 1-1 કરોડના વળતરની માંગ</strong></p> <p>કથિત સુસાઈડ નોટમાં કામગીરીના ટેન્શનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારને 1-1 કરોડના વળતરની માંગ કરવામાં આવી રહી છે. &nbsp;BLOની કામગીરી તણાવગ્રસ્ત હોવાનો પણ શિક્ષકોનો મત છે. &nbsp;SIRની ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાનું એલાન શૈક્ષિક સંઘે કર્યું છે. &nbsp;કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. &nbsp;કામગીરી માટે અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ છે. &nbsp;રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવાની સૂચના આપી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.&nbsp; હાલ તો સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.</p> <p>કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO રમેશભાઈ પરમારનું હાર્ટ એટેકેથી &nbsp;મોત થયું. &nbsp;મૃતક રમેશભાઈ મંગળવારે મોડી રાત્રે મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવીને સૂતા હતા. &nbsp;પખવાડીયાથી બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવતા મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...