Skip to main content

લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર:વાંધા-સૂચનો મંગાયા, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે


https://ift.tt/gN6aH7f ગુજરાત સરકારે Gujarat Registration of Marriages Act, 2006 હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવા માટે ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણી વધુ કડક અને પારદર્શક બનાવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાના આધારે 30 દિવસ સુધી જનતા તરફથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે. સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેનો મેમોરેન્ડમ સંબંધિત આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને જમા કરાવવો પડશે અને તેની સાથે નક્કી કરાયેલ ફોર્મ તથા ફી ફરજિયાત રહેશે. વર-વધુની સહી સાથે બે સાક્ષીઓની સહી જરૂરી રહેશે. જરૂરી દસ્તાવેજોમાં વધારો માતા-પિતાની વિગતો ફરજિયાત સુધારા મુજબ હવે વર અને વધુ બંનેએ તેમના માતા-પિતાની સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં આધાર કાર્ડ (હોય તો), પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર સામેલ રહેશે. 10 દિવસમાં માતા-પિતાને જાણ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા મેમોરેન્ડમ પૂર્ણ હોવાની ખાતરી થયા બાદ 10 દિવસની અંદર વર-વધુના માતા-પિતાને સ્પીડ પોસ્ટ અથવા અન્ય માધ્યમથી લગ્ન અંગે જાણ કરવામાં આવશે. 30 દિવસ બાદ જ નોંધણી મેમોરેન્ડમ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસ પૂર્ણ થયા બાદ જ લગ્નની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ જ દંપતીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. સરકારનું કહેવું શું? સરકારનું કહેવું છે કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા અને કાનૂની સુરક્ષા મજબૂત બનાવવા માટે આ સુધારા કરવામાં આવ્યા છે. પ્રસ્તાવિત નિયમો અંગે કોઈપણ વ્યક્તિ 30 દિવસની અંદર લેખિતમાં વાંધા અથવા સૂચનો આપી શકે છે. આ સુધારાઓ અમલમાં આવ્યા બાદ રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને જવાબદાર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: રાજ્યમાં હવે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતિ અનિવાર્ય

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...