Skip to main content

જૂનાગઢના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારમાં અશાંતધારો લાગુ:મિલકતની લે વેચ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે,જુઓ અશાંતધારો લાગુ થયો તે સોસાયટીઓનું લિસ્ટ


https://ift.tt/sfL4DkH ​​જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને 'અશાંત ધારો' એટલે કે The Gujarat Prohibition of Transfer of Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act, 1991 હેઠળ આવરી લેવામાં આવી છે.જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. ​લોકોની લાંબા સમયની રજૂઆતનો સુખદ અંત ​અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. મિલકત ખરીદ વેચાણ સમયે કલેકટરની પૂર્વ મંજૂરી લેવી પડશે ​આ કાયદો અમલમાં આવતાની સાથે જ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, ઘર, દુકાન કે જમીનની તબદીલી એટલે કે વેચાણ કે ભાડે આપવાની પ્રક્રિયા સીધી રીતે થઈ શકશે નહીં. મિલકત વેચનાર અને ખરીદનાર બંનેએ ફરજિયાતપણે 'સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), જૂનાગઢ'ની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વિના કોઈ દસ્તાવેજ કરવામાં આવશે તો તે કાયદેસર રીતે માન્ય ગણાશે નહીં. ​સરકારના જાહેરનામા મુજબ આ કાયદાની કલમ 4, 5 અને ૫-એ હેઠળની તમામ સત્તાઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. તંત્ર હવે મિલકતની તબદીલી વખતે એ બાબતની ખાતરી કરશે કે આ વેચાણ કોઈ દબાણ કે ભય હેઠળ નથી થઈ રહ્યું અને તેનાથી વિસ્તારની શાંતિમાં કોઈ ખલેલ પહોંચશે નહીં. ​આ નિર્ણયથી જૂનાગઢના આ વિસ્તારોમાં મિલકતોના આડેધડ વેચાણ પર અંકુશ આવશે અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા તેમજ સામાજિક એકતા જળવાઈ રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. અશાંત વિસ્તાર ધારો શું છે? અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...