Skip to main content

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!


<p><strong>Thakor Samaj:</strong> પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સામાજિક નિયમો (બંધારણ) નો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ સમાજના આગેવાનોએ તાત્કાલિક એક બેઠક બોલાવીને નિયમ તોડનાર પરિવારને 1.5 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, જો આવતીકાલ સાંજ સુધીમાં આ દંડ ભરવામાં નહીં આવે તો તેમને સમાજમાંથી બહાર કાઢવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.</p> <p><strong>સમાજની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય</strong></p> <p>હારીજમાં અર્જુન ઠાકોરના સાસરિયામાં એટલે કે મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્નનો માહોલ હતો. સમાજના નવા બંધારણમાં ડીજે કે મોટા આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં, અહીં ભવ્ય રાસ-ગરબા રમાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હારીજમાં ઠાકોર સમાજ અને તાલુકા સમિતિના આગેવાનોની એક તાત્કાલિક બેઠક મળી હતી. આ બેઠકમાં હારીજના 4 ગામોમાં બંધારણ તૂટવા મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. જે પરિવારે આ નિયમ તોડ્યો છે, તેમને બેઠકમાં રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને સમાજે કડક વલણ અપનાવતા આવતીકાલ સાંજ સુધીનો સમય આપીને 1.5 લાખનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.</p> <p><iframe title="ABP Asmita LIVE | Gujarat Politics | Bengal Elections | Gujarat Latest Breaking News | Gujarati News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>કેવી રીતે બન્યું હતું ઠાકોર સમાજનું નવું બંધારણ?</strong></p> <p>તમને જણાવી દઈએ કે, ગત 15-11-2025 ના રોજ દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અને સાધુ-સંતો એક જ મંચ પર જોવા મળ્યા હતા. અગાઉ દરેક તાલુકા અને ગામોમાં મિટિંગો કરીને 2 લાખ લોકોની લેખિત મંજૂરી લેવામાં આવી હતી. આ સંમેલનમાં સર્વસંમતિથી કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો અને સાંસદ ગેનીબેને 16 મુદ્દાઓનું આ નવું 'બંધારણ' જાહેર કર્યું હતું.</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/thakor-samaj-constitution-dj-ban-controversy-alpesh-thakor-geniben-thakor-patdi-sammelan-970755">Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'</a></strong></p> <p><strong>શું છે ઠાકોર સમાજના 16 મહત્વના નિયમો?</strong></p> <ol> <li>સગાઈમાં 21 થી વધારે વ્યક્તિઓ જઈ શકશે નહીં.</li> <li>ઓઢામણાની વિધિમાં કપડાં કે દાગીના લઈ જવા નહીં.</li> <li>સગાઈમાં માત્ર સાડી, નાળિયેર અને 1 રૂપિયો જ આપવાનો રહેશે.</li> <li>લગ્નની તારીખ માત્ર વૈશાખ અથવા મહા મહિનામાં જ નક્કી કરી શકાશે.</li> <li>વૈશાખ અને મહા મહિનાના નક્કી કરેલા 15-15 દિવસમાં જ લગ્નો યોજવાના રહેશે.</li> <li>મોંઘી પત્રિકાઓ છપાવવા પર રોક, માત્ર સાદી આમંત્રણ પત્રિકા જ છપાવવી.</li> <li>જાનમાં સનરૂફ (Sunroof) વાળી ગાડી લઈ જવા પર મનાઈ.</li> <li>જાનમાં 11 થી વધુ ગાડીઓ લઈ જઈ શકાશે નહીં.</li> <li>જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને કુલ 100 લોકો જ જઈ શકશે.</li> <li>જાનમાં વધુમાં વધુ 2 ઢોલ જ વગાડી શકાશે.</li> <li>ઠાકોર સમાજના લગ્નમાં ડીજે (DJ) વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ.</li> <li>પહેરામણીમાં માત્ર બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી જ આપી શકાશે.</li> <li>હલ્દી રસમ અને લગ્નમાં સ્ટાઈલથી એન્ટ્રી મારવાની પ્રથા સંપૂર્ણ બંધ.</li> <li>જમણવારના મેનુમાં મર્યાદિત વસ્તુઓ જ રાખવી.</li> <li>મામેરામાં કપડાંની પહેરામણી કરવાની પ્રથા બંધ.</li> <li>મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા જ રોકડા આપી શકાશે, મામેરામાં દાગીના આપવા પર પ્રતિબંધ મૂકાયો છે.</li> </ol>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...