Skip to main content

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?


<p><strong>Gujarat heatwave 2026:</strong> મે મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ગરમીએ જાણે ભુક્કા બોલાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પાંચ શહેરોમાં પારો 44°Cને પાર પહોંચી ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 45.5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બની ગયું છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હીટ સ્ટ્રોકના કેસો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. જોકે, આકાશમાંથી વરસી રહેલી આ આગ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે કે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપી શકે છે.</p> <p>હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, છેલ્લા પાંચ જ દિવસમાં ગરમીના પારામાં 2થી 4 ડિગ્રીનો ઉછાળો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તો તાપમાન 44°Cની ઉપર જતું રહ્યું છે. સુરતની વાત કરીએ તો, 11 મેનો દિવસ ત્યાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો, જ્યાં 42.2°C તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6.8°C વધારે છે. સોમવારે નોંધાયેલા તાપમાને તો આ સિઝનનો રેકોર્ડ જ તોડી નાખ્યો છે. આ પહેલાં કંડલા એરપોર્ટ પર 45.2°C તાપમાન નોંધાયું હતું, પરંતુ સુરેન્દ્રનગરે 45.5°C સાથે તે રેકોર્ડ તોડી નાખ્યો છે. જો હજુ 2 ડિગ્રીનો વધારો થશે, તો અગાઉના તમામ રેકોર્ડ તૂટી જવાની શક્યતા છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | NEET Exam 2026 Cancelled | Gujarat Heatwave Alert" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આ કાળઝાળ ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે ખૂબ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ડીહાઇડ્રેશનથી બચવા માટે સતત પાણી પીતા રહેવું.</p> <p>ગરમીના આ પ્રકોપને જોતા હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યભરમાં હીટવેવની આગાહી કરી છે. આજે (12 મે) કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે, જ્યારે અમદાવાદ સહિતના અન્ય 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ એકદમ સૂકું રહેશે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને અન્ય વિસ્તારો જેવા કે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને સુરતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/india/tomorrow-weather-may-12-thunderstorm-alert-imd-11-states-winds-60-kmph-979760">આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે</a></strong></p> <p>આ બધા વચ્ચે ખુશખબર એ છે કે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસું વહેલું આવી રહ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે તે 25થી 27 મેની વચ્ચે જ કેરળના કાંઠે પહોંચી જવાની સંભાવના છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ ચોમાસાને ઝડપથી આગળ વધારશે, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે. આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને અમરેલીમાં 44°C, વડોદરામાં 45°C, ભુજમાં 42°C, સુરતમાં 41°C અને ડીસામાં 39°C આસપાસ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-heatwave-alert-44-degrees-orange-yellow-warning-for-next-4-days-979750">4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...