
<p><strong>Gujarat AAP new structure 2026:</strong> ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.</p>
<p><strong>12 નવા ઉપપ્રમુખોની નિમણૂક</strong></p>
<p>પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની વાત કરીએ તો, પ્રદેશ કક્ષાએ કુલ 12 નેતાઓને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. જ્વેલબેન વસરા, કૈલાશ ગઢવી, રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરીયા, રાજ કરણ ઠાકોર, ડૉ. કાયનાબેન આથા, જીગીશા પટેલ અને જયંતી પ્રણામીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ હવેથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.</p>
<p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>મહિલા, યુવા અને છાત્ર મોરચાને મળ્યા નવા પ્રમુખ</strong></p>
<p>સંગઠનના અન્ય મહત્વના હોદ્દાઓ પર નજર કરીએ તો, અનુપ શર્માને પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ મોરચાની કમાન પણ યુવા ચહેરાઓને સોંપાઈ છે. જેમાં પાયલ સાકરીયાને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે બ્રિજસિંહ સોલંકીને યુવા મોરચાના પ્રમુખ જ્યારે ધાર્મિક માથુકીયાને છાત્ર (વિદ્યાર્થી) મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="gu">AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય , પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા ના નિર્દેશ અનુસાર આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રીશ્રીઓની નીચે મુજબ નિમણૂક કરવામાં આવી છે.<br /><br />સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. <a href="https://t.co/MjZHgLvgoN">pic.twitter.com/MjZHgLvgoN</a></p>
&mdash; AAP Gujarat (@AAPGujarat) <a href="https://twitter.com/AAPGujarat/status/2056645923112132895?ref_src=twsrc%5Etfw">May 19, 2026</a></blockquote>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
<p><strong>સંગઠન મજબૂત કરવા 14 સંગઠન મંત્રીઓ જાહેર</strong></p>
<p>છેવાડાના કાર્યકરો સુધી પહોંચવા અને સંગઠનને પાયાથી મજબૂત કરવા માટે પાર્ટીએ 14 જેટલા સંગઠન મંત્રીઓની પણ નિમણૂક કરી છે. આ યાદીમાં ડૉ. કરણ બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણગઢ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલીયા, રાજુ બોખરતરિયા, અજીત લુખીલ અને ડૉ. કિરીટસિંહ રાણાને સંગઠન મંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આમ, આખી યાદીમાં પક્ષે નવા અને અનુભવી બંને પ્રકારના નેતાઓનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.</p>
Comments
Post a Comment