
<p><strong>રાજપીપળા: &nbsp;</strong>ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે &lsquo;લેટર બોંબ&rsquo; ફોડી રાજકારણમાં ગરમાવો લાવી દીધો. &nbsp;તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે.&nbsp;</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/mmYpCcEgcbY?si=4M7DKPWZiHUyyQUe" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>સાંસદ મનસુખ વસાવાનો વધુ એકવાર લેટર બોમ્બ</strong></p>
<p>હર હંમેશ સત્ય માટે બોલનાર અને લખનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુ એકવાર લેટર બોમ્બ રૂપમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. &nbsp;નર્મદા જિલ્લામાં દારુ અને જુગારના અડ્ડાઓ પોલીસના કર્મચારી- અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી ચાલતા હોવાના ઉલ્લેખ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સનસનીખેજ પત્ર લખ્યો છે.&nbsp;</p>
<p>મહારાષ્ટ્રની સરહદથી કેમિકલ વાળો દારુ ગુજરાતમાં ઘૂસાડાતો હોવાનો ખુલાસો તેમણે કર્યો. &nbsp;દારૂ સપ્લાયમાં આવતા બધા જ પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. &nbsp;જેમાં આમલેથા પોલીસ સ્ટેશન ખાસ હોવાનું અને દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. &nbsp;</p>
<p><br /><img src="https://ift.tt/m2uPArR" /></p>
<p>આ સાથે જ અધિકારી અને કર્મચારીઓના નામ સાથે આરોપનો પત્ર લખ્યો. &nbsp;જોકે રાજનેતા કોણ તેના નામનો ઉલ્લેખ નથી. &nbsp;પરંતું તમામ રાજકીય પક્ષો શબ્દનો પ્રયોગ કરી વસાવાએ ભાજપના નેતાઓ પણ દારૂ- જુગારના રેકેટમાં સંડોવાયેલા હોવાના સંકેત આપ્યા.&nbsp;</p>
<p>આ પણ વાંચો- <a title="Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર" href="https://ift.tt/Isk15Tn" target="_self">Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર</a></p>
<p>&nbsp;<strong>સાંસદે સમગ્ર રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો</strong></p>
<p>સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના સમગ્ર રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. &nbsp;સાંસદે &nbsp;તેમના પત્રમાં લખ્યું, 'પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, &nbsp;મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે &nbsp;તે તમામના પીએસઆઈ (PSI)ની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. &nbsp;નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવે છે.'&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>
Comments
Post a Comment