
<p><strong>PM Modi appeal 2026:</strong> દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની વાતને શિરોમાન્ય ગણીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.</p>
<p>વાત જાણે એમ છે કે, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અમેરિકામાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા બીજા ગુજરાતી કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના હતા. પરંતુ, પીએમ મોદીએ દેશના હિત માટે લોકોને 1 વર્ષ સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપી, જેના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પીએમ મોદીએ કરેલી તમામ અપીલોમાં ગુજરાતીઓએ પૂરો સાથ અને સહકાર આપવો જોઈએ.</p>
<p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | NEET Exam 2026 Cancelled | Gujarat Heatwave Alert" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>જાણો, વૈશ્વિક સંકટ સામે લડવા વડાપ્રધાને કઈ 7 અપીલ કરી છે:</strong></p>
<p>જ્યાં પણ શક્ય હોય ત્યાં ઘરેથી જ કામ (વર્ક ફ્રોમ હોમ) કરવા પર ભાર મૂકવો.</p>
<p>રોજિંદા ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવો.</p>
<p>આગામી 1 વર્ષ માટે કોઈપણ વિદેશ પ્રવાસ કરવાનું ટાળવું.</p>
<p>વિદેશી વસ્તુઓનો મોહ છોડીને વધુમાં વધુ સ્વદેશી ઉત્પાદનો વાપરવા.</p>
<p>પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પોતાના અંગત વાહનના બદલે જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) નો ઉપયોગ વધારવો.</p>
<p>ખેતીમાં રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઓછી કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું.</p>
<p>આવનારા 1 વર્ષ સુધી બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળવું.</p>
<p><strong><a href="https://gujarati.abplive.com/news/india/cm-yogi-up-news-convoy-reduction-wfh-policy-pm-modi-appeal-decisions-979883">PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય</a></strong></p>
<p>નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વની વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનાની ખરીદી ઘટાડવા અને શક્ય હોય તો ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરવાની અપીલ કરી હતી. પીએમની આ અપીલના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ (LPG) ની કોઈ જ અછત નથી, લોકોએ ડરવાની કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા હોવાથી દેશની સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.&nbsp;</p>
Comments
Post a Comment