
<p>રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા હતા. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ અપાઈ છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=GvlLEatpUYdGOjsL" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના ઉપયોગ અંગે પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી અધિકારીઓ/કર્મચારીઓનો પ્રવાસ ન કરવો પડે તે રીતે ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે, ટેલિફોન, મોબાઇલ, ઈ-મેઇલ, વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે અને અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રિય અધિકારીઓ/કર્મચારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે &lsquo;વીડિયો કોન્ફરન્સિંગ&rsquo; અથવા &lsquo;ઓનલાઇન માધ્યમ&rsquo; દ્વારા બેઠકો યોજવાને પ્રાધાન્ય આપવાનો આદેશ અપાયો છે. અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં યોજાતી તાલીમ/પરિસંવાદ/અભ્યાસ પ્રવાસો/પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાના નિર્દેશ અપાયા છે.&nbsp;</p>
<p>અન્ય રાજ્યોમાં/કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. આમ છતાં રાજ્ય બહારની મુસાફરી અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસમાં તેમના જૂનિયર અન્ય અધિકારીઓ/કર્મચારીઓને અત્યંત જરૂરી હોય તે સિવાય સાથે ન રાખવાની કાળજી લેવાની રહેશે. અધિકારી/કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પહેલાં તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.</p>
<p><strong>આ પણ વાંચોઃ <a title="આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ" href="https://ift.tt/Peg0tfr" target="_self">આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ</a></strong></p>
<p>જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)/Hybrid model નો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. પર્યાવરણ જાળવણી અને ઇંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવાઓ (જેમ કે મેટ્રો, એસ.ટી. નિગમની બસ, રેલવે વગેરે) નો મહત્તમ ઉપયોગ કરવો. તમામ સરકારી કચેરીઓમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે.</p>
<p>સંપન્ન વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ભાવવધારો અટકાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાનું રહેશે. આ સૂચનાઓનો સર્વે વિભાગોમાં તેમજ તેમના હેઠળના ખાતાના વડાની કચેરીઓ/તાલુકા કચેરીઓ, જાહેર સાહસો, મંડળો, નિગમો, કંપનીઓ, સ્વાયત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ તમામ સંસ્થાઓ વગેરેમાં ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવે છે.</p>
Comments
Post a Comment