Skip to main content

'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ


<p>ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે.</p> <p>વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય.” આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે આ કાર્યક્રમમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા બ્રહ્મસમાજના અગ્રણી અનિરૂદ્ધ દવે સહિતના 1400 બ્રાહ્મણની ઉપસ્થિતિ હતી. સૂર્યપ્રકાશ સ્વામીએ કરેલા આ બફાટનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા જ બ્રહ્મસમાજના સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બ્રહ્મસમાજના વિવિધ સંગઠનોએ હાલ તો વીડિયોના પગલે માફીની માગ કરી રહ્યાં છે.</p> <p><strong><a title="Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર" href="https://ift.tt/Re4XNl3" target="_self">Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર</a></strong></p> <p>જોકે, આ દરમિયાન માંડવીના ધારાસભ્ય અને બ્રહ્મસમાજ અગ્રણી અનિરૂદ્ધ દવેએ વિવાદાસ્પદ નિવેદનને લઈ તુરંત જ સ્ટેજ પરથી જ જવાબ આપ્યો હતો, તેમને પણ સ્ટેજ પરથી કહ્યું કે સ્વામીએ અહિયાંથી કહ્યું બ્રાહ્મણ ભીખ માંગે છે, પણ બ્રાહ્મણ કદી ભીખ ન માંગે. બ્રાહ્મણ દાન સ્વીકારે છે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે - દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો.” તેમણે આગળ ઉમેર્યું કે, “તમે પાંચ રૂપિયા આપો તો અમે કહીયે - ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવ. મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભીક્ષા નથી માંગતો.” અનિરુદ્ધ દવેના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર અનેક લોકોએ તાળીઓ પાડી સમર્થન વ્યક્ત કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. </p> <p>સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાત બ્રહ્મસમાજના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આક્રોશ વ્યકત કર્યો હતો. ડૉ. યજ્ઞેશ દવેએ પોસ્ટ કરી લખ્યું કે બ્રહ્મસમાજને ભીખ માંગતો કહેનારા ભૂલી ગયા કે સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા. સંતને ખબર નથી કે તે બ્રાહ્મણની સાથોસાથ તેમના ભગવાનને પણ ગાળો આપે છે. અંતમાં એ પણ સ્પષ્ટ કહ્યું કે બહુ બ્રહ્મસમાજને ટાર્ગેટ કર્યો આ વખતે આરને પાર. તો બ્રહ્મસમાજની ટિપ્પણી બાદ તુરંત જ મંચ પરથી જવાબ આપનારા ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો પણ યજ્ઞેશ દવેએ આભાર માન્યો.</p> <p>વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે પણ સ્વામિનારાયણ સંતની ટિપ્પણીને બ્રહ્મ સમાજનું  અપમાન ગણાવી માફીની માગ કરી છે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...