Skip to main content

પોલીસ સાથે ઝપાઝપી કરનાર નિવૃત્ત DySP અશોકસિંહને બોડી બિલ્ડિંગનો શોખ:7 વખત Mr.Gujarat, કોરોનાકાળમાં જાહેરમાં બર્થ-ડે ઉજવી આવ્યા હતા વિવાદમાં, પાટીલના ફોટો શેર કરી પડકાર ફેંક્યો હતો


https://ift.tt/ageWu9B અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદમાં 27 મેના નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણે જમીન વિવાદમાં જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.જેમાં ગઈકાલે(28મે)ના નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરતા અશોકસિંહે ફાંફા ફોજદારી કરીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત Dyspને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણ અગાઉ પણ નોકરીના સમયગાળામાં પણ કોઈને કોઈ કારણોસર વિવાદોના ક્રેન્દ્રમાં રહ્યા છે. જેમાં તેઓ કોરાના કાળમાં સુરતમાં એસીપી તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે વિવાદોના કેન્દ્રમાં રહ્યા હતાં. અશોકસિંહે કોરોના કાળમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડાડીને બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. જેમાં દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે જાહેરમાં મોટી ભીડ એકત્રિત કરીને જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. જાહેરમાં નિયમોનો ભંગ કર્યા બાદ અશોકસિંહે ભૂલ સ્વીકારવાને બદલે સી. આર. પાટીલના ફોટા વાયરલ કરીને જાહેરમાં પડકાર ફેંક્યો હતો અને વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતાં. નિવૃત DySP અશોકસિંહને બોડી બિલ્ડિંગનો શોખ છે અને સાત વખત Mr.Gujarat પણ રહી ચૂક્યા છે. યૂટ્યૂબની રમતા જોગી ચેનલમાં 'આણે તો હવે ઉપાડો લીધો' નામની ડોકયુમેન્ટી બની છે. જેમાં નિવૃત DySP અશોકસિંહ ચૌહાણે એક રોલ કરીને કોરોનામાં સાવચેતીના પગલાં વિશેની એક પરિવાર સાથે વાતચીત કરી હતી. કોણ છે અશોકસિંહ ચૌહાણ? લિંક્ડઇન અનુસાર, અશોકસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં ડિસેમ્બર-1995માં PSI તરીકે જોડાયા હતાં. પહેલુ પોસ્ટિંગ ભૂજમાં મળ્યા બાદ તેમણે અલગ અલગ જગ્યાએ સર્વિસ આપી હતી. ગુજરાત પોલીસમાં જોડાતા પહેલા વર્ષ 1991થી 1995 સુધી તેમણે લેન્ડસ્કેપ ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું. અશોકસિંહ ચૌહાણે તેની કરિયરની શરૂઆત બોડી બિલ્ડર તરીકે કરી હતી. તેમણે 6 વર્ષ સુધી મદાવાદના પ્રીતમનગર જીમમાં બોડી બિલ્ડિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું. એટલું જ નહીં ઓલ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં તેઓ રનર-અપ રહી ચૂક્યા છે. તેમજ સાત વખત બોડી બિલ્ડિંગમાં મિસ્ટર ગુજરાતનું બિરુદ મેળવ્યું હતું. અશોકસિંહ ચૌહાણે વર્ષ 1979થી 1984 સુધી પંજક હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ગુજરાત લો સોસાયટીમાંથી હિસ્ટ્રી સબ્કેજટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હતું. અશોક ચૌહાણ સુરતમાં ACP હતા ત્યારે પણ વિવાદોના કેન્દ્રમાં રહ્યા હતાં અમદાવાદમાં નિવૃત્ત ડીવાયએસપી (DySP) અશોક ચૌહાણ સાથે જોડાયેલો ફાયરિંગ વિવાદ હાલ ભારે ચર્ચામાં છે, ત્યારે આ વિવાદાસ્પદ અધિકારીનો સુરત કનેક્શન અને તેમનો ભૂતકાળ પણ ફરી સપાટી પર આવ્યો છે. અશોક ચૌહાણ અગાઉ 2021માં સુરત શહેરમાં મદદનીશ પોલીસ કમિશનર (ACP) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ સતત વિવાદોના કેન્દ્રમાં રહ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમની પ્રાથમિક જવાબદારી હતી, તેવા જ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના બેજવાબદાર વલણને કારણે સુરતમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા અને તેમનો આ વિવાદાસ્પદ ઇતિહાસ આજે પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે. કોરોના કાળમાં ગાઇડલાઇનના ધજાગરા કરીને બર્થડે સેલિબ્રેશન કર્યું હતું સુરત સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોના મહામારી(2021)ને કારણે કડક નિયમો અને સરકારી ગાઇડલાઇન અમલમાં હતી, ત્યારે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા તત્કાલીન ACP અશોકસિંહ ચૌહાણે કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતાં. સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર કમિશનરનું જાહેરનામું હોવા છતાં, તેમણે દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે જાહેરમાં મોટી ભીડ એકત્રિત કરી પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનમાં ચાર-પાંચ યુવતીઓ સહિત અનેક લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાડીને હાજર રહ્યા હતાં. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે સુરત પોલીસ કમિશનરે આ મામલે તત્કાલીન ટ્રાફિક DCP પ્રશાંત સુબેને તપાસ સોંપી ખાતાકીય પગલાંના આદેશ આપ્યા હતાં. ભૂલ સ્વીકારવાને બદલે સી. આર. પાટીલને ચેલેન્જ આપી હતી જાહેરમાં નિયમોનો ભંગ કર્યા બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અશોક ચૌહાણે અત્યંત આક્રમક અને રાજકીય વલણ અપનાવ્યું હતું. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ફોટા વાયરલ કરીને જાહેરમાં પડકાર ફેંક્યો હતો અને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, "જો કોઈ ભડના દીકરા હોય તો સી. આર. પાટીલ વિરુદ્ધ બોલી બતાવે." શિસ્તબદ્ધ પોલીસ ફોર્સમાં રહીને 2021માં ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ આ પ્રકારની ખુલ્લી ચેલેન્જ અને ઉદ્ધત વર્તન બદલ તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ ગંભીર ગેરશિસ્ત બદલ સરકારે સજાના ભાગરૂપે તેમની સુરતથી સીધી કચ્છ-ભુજ ખાતે બદલી કરી દીધી હતી. 2020માં સુરતમાં કોરોના લોકડાઉનમાં લોકોને જમાડવાનું કામ કર્યું હતું 2020માં કોરોના કાળમાં 21 દિવસના દેશવ્યાપી કોરોનામાં લોકડાઉનની જાહેરાત થયા પછી, ગરીબો અને મજૂરોને ખોરાકની ચિંતા થવા લાગી હતી. લોકોને આશ્ચર્ય થયું કે બધું બંધ થઈ જશે ત્યારે તેમને ખોરાક ક્યાંથી મળશે. પોલીસ મદદ માટે આગળ આવી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ કર્યું, અને પછી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. દૈનિક ભાસ્કરના 5 એપ્રિલ,2020ના એડીશનમાં સુરતનો એક અહેવાલ પ્રસારિત થયો હતો. જેમાં સુરતમાં ફરજ બજાવનાર ACP અશોકસિંહ ચૌહાણે સુરતના વિવિધ ભાગોમાં 15 દિવસમાં 25 રસોડાઓ સ્થાપ્યા હતાં. જેમાં 30,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું અને 3.30 લાખ લોકોને મદદ કરી હતી. 2020માં ACP એપી ચૌહાણે ગરીબોને સમયસર ભોજન પૂરું પાડવાની જવાબદારી લીધી હતી. કંટ્રોલ રૂમનો સંપર્ક કરનારાઓને પોલીસ ખોરાક પહોંચાડવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, લોકો ACP એપી ચૌહાણને તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરીને પણ ખોરાકનો ઓર્ડર આપી શકતાં હતાં. નોંધનીય છે કે અધિકારીઓને ગાંધીનગરથી સુરત ફોન કરીને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચૌહાણએ 25 લોકોની એક ટીમ બનાવી હતી જે સમયસર ભોજન પહોંચાડી હતી. આ પણ વાંચો નિવૃત્ત DySPનું જાહેરમાં બંદૂક કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ, VIDEO અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ 27 મેના સાંજે આશરે 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. (વાંચો સંપૂર્ણ સમાચાર) ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPને ખેંચી ધક્કા મારી લોકઅપમાં પૂર્યા અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદમાં નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યો હતો. જેમાં 28મેના નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરતા અશોકસિંહનો પાવર જોવા મળ્યો હતો. તેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત Dyspને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...