Skip to main content

Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક


<p>સરકાર એક તરફ ગુજરાતનું શિક્ષણ મોડલ અને શાળા પ્રવેશોત્સવ સહિતના તાયફાઓ કરી પોતાની પીઠ થબથબાવી રહી છે.  બીજી તરફ નીતિ આયોગના એક અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ મોડલના ધજાગરા ઉડાવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 2 હજાર 936 શાળાઓ એવી છે કે જ્યાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે રાજ્યની 63 શાળામાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્યાં 78 શિક્ષક રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=XWwR9Wlqvvns4qnz" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અહીં સવાલ તો એ થાય કે વિદ્યાર્થી જ નથી તો શિક્ષકો ભણાવી કોને રહ્યા છે. નીતિ આયોગના સ્કુલ એજ્યુકેશન સિસ્ટમ ઈન ઈન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટના અહેવાલમાં ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થાની પોલી ખુલી છે. રિપોર્ટના આંકડાનો અભ્યાસ સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. રાજ્યમાં 42 હજાર વર્ગખંડની અછત છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને વાહ વાહી લૂંટતી સરકાર પર પ્રહારો કર્યા કે ભાજપ રાજમાં 5 હજાર 612 શાળાઓને તાળા વાગ્યા અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનો અધિકાર છીનવાઈ ગયો. </p> <p>નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રાજ્યની 2 હજાર 936 શાળામાં ફક્ત એક શિક્ષક છે. 63 શાળામાં વિદ્યાર્થી ન હોવા છતાં 78 શિક્ષકો ફરજ બજાવે છે. પ્રાથમિક, માધ્યમિકમાં 24 વિદ્યાર્થી દીઠ માત્ર એક જ શિક્ષક છે. રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. ધો. 10 સુધીમાં 2.3 લાખ વિદ્યાર્થીએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો છે. 63 હજાર 134 કરોડનું <a title="બજેટ" href="https://ift.tt/vLVN6ft" data-type="interlinkingkeywords">બજેટ</a> છતાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. કોંગ્રેસે રાજ્યમાં કથળતા શિક્ષણ મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે. </p> <p><strong>આ પણ વાંચોઃ<a title=" ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો" href="https://ift.tt/m8r2jKh" target="_self"> ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો</a></strong></p> <p>ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ ભારત સરકારના નિતિ આયોગના અહેવાલને ટાંકી કહ્યું કે દેશની સરકારી શાળાઓમાં શિક્ષકોની સ્થિતિ અંગે નિતી આયોગના અહેવાલમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં 2936 શાળા માત્ર એક શિક્ષકથી જ કાર્યરત છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ એક જ્યારે દેશમાં 15 વિદ્યાર્થીએ એક શિક્ષક છે.  તેમણે કહ્યું કે દેશમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું સતત તોડવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં 93,000થી વધુ શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, જ્યારે એકલા ગુજરાતમાં 5612 શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ₹63,134 કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...