Skip to main content

Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  


<p><strong>અમદાવાદ:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. બાદમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની અગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં 30 મેથી 1 જૂન સુધી વરસાદની શક્યતા છે.  </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=_u6ythwuo_hWwewT" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>રાજ્યના આ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી</strong></p> <p>હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  30 મેના રોજ સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,  દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p>આ સિવાય હવામાન વિભાગે 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,  દાહોદ, પંચમહાલ,  છોટા ઉદેપુર,અમરેલી,ભાવનગરમાં  ભારે પવન અને  ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.</p> <p><strong>લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે</strong></p> <p>હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા છે. જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી લોકોને થોડી રાહત મળી શકે છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે જરૂરી ન હોય તો  બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું અને  સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપી છે. </p> <p><strong>કેરલમાં એક- બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે</strong></p> <p>હાલમાં કેરલમાં સતત બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરલમાં એક કે બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે.  હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.</p> <p>આ પણ વાંચો- <a title="Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ" href="https://ift.tt/H9oOpLs" target="_self">Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ</a></p> <p><strong>ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું</strong></p> <p>હવામાન વિભાગ અનુસાર, કેરલમાં ચોમાસું શરૂ થઈ શકે છે ત્યારે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે.  અમદાવાદમાં ગઈકાલે (25 મે) તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું.  હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી જાહેર કરેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...