Skip to main content

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી


<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદવાશે આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p> ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવામાન અંગે રાહત આપતી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ  દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, 5થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p>હાલમાં રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ આગાહી લોકોને થોડો રાહતનો અહેસાસ કરાવી શકે છે. જો કે, હવામાનમાં આ અચાનક ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં પવન અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.કૃષિ ક્ષેત્ર માટે પણ આ વરસાદ નુકસાનકારક  સાબિત થઈ શકે છે, ખાસ કરીને કેરીના તૈયાર થયેલા ફાલની નુકસાનની ભિતી સેવાઇ રહી છે. . હવામાન વિભાગ અને નિષ્ણાંતોની સૂચનાઓને ધ્યાનમાં રાખીને લોકોને આગળના દિવસોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.</p> <p> હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે   પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે 5 મેથી 8 મે વચ્ચે કેટલાક જિલ્લામાં હળવો કમોસમી વરસાદની આગાહી કરી છે.. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું માનવું છે કે પશ્ચિમી વિક્ષેપને લીધે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો કમોસમી વરસાદ વરસી શકે છે.. એટલુ જ નહીં..11થી 20 મે વચ્ચે પણ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં આંધી-તોફાન અને કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.ૉ</p> <p>વાતવરણમાં પલટો 5 મે બાદ આવશે પરંતુ હાલ કાળઝળ ગરમી પડી રહી છે.પશ્ચિમ દિશા તરફથી ફુંકાતા ગરમ અને સૂકા પવનને લીધે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને લીધે 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...