
<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદવાશે આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.&nbsp;</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>&nbsp;</p>
<p>&nbsp;ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવામાન અંગે રાહત આપતી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ &nbsp;દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, 5થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p>હાલમાં રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ આગાહી લોકોને થોડો રાહતનો અહેસાસ કરાવી શકે છે. જો કે, હવામાનમાં આ અચાનક ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં પવન અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.કૃષિ ક્ષેત્ર માટે પણ આ વરસાદ નુકસાનકારક &nbsp;સાબિત થઈ શકે છે, ખાસ કરીને કેરીના તૈયાર થયેલા ફાલની નુકસાનની ભિતી સેવાઇ રહી છે. . હવામાન વિભાગ અને નિષ્ણાંતોની સૂચનાઓને ધ્યાનમાં રાખીને લોકોને આગળના દિવસોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.</p>
<p>&nbsp;હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે &nbsp; પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે 5 મેથી 8 મે વચ્ચે કેટલાક જિલ્લામાં હળવો કમોસમી વરસાદની આગાહી કરી છે.. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું માનવું છે કે પશ્ચિમી વિક્ષેપને લીધે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો કમોસમી વરસાદ વરસી શકે છે.. એટલુ જ નહીં..11થી 20 મે વચ્ચે પણ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં આંધી-તોફાન અને કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.ૉ</p>
<p>વાતવરણમાં પલટો 5 મે બાદ આવશે પરંતુ હાલ કાળઝળ ગરમી પડી રહી છે.પશ્ચિમ દિશા તરફથી ફુંકાતા ગરમ અને સૂકા પવનને લીધે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને લીધે 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે..&nbsp;</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment