Skip to main content

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?


<p><strong>Gujarat Weather: </strong>ગુજરાતમાં હાલ  ગરમી પડી રહી છે, જો કે  હવે  હિટવેવની સ્થિતિ નથી. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી  ગરમીની સ્થિતિ યથાવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ  ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે દક્ષિણ  અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. </p> <p>અમદાવાદમાં આકરી ગરમીથી શેકાયું છે. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. રાજ્યના   ચાર શહેરમાં 43 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ છે. હજુ એક સપ્તાહ સુધી ગરમીની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંઘાઇ  છે. અમદાવાદમાં તાપમાન  43.7 નોંધાયું છે  જ્યારે  બીજા ક્રમે અમરેલી રહ્યું, અમરેલીનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ </p> <p><strong>ક્યાં કેટલું તાપમાન નોંધાયું?</strong></p> <p>અમદાવાદ  43.7<br />કંડલા એરપોર્ટ 43.3<br />અમરેલી  43.1<br />રાજકોટ  43<br />સુરેંદ્રનગર  42.8<br />ગાંધીનગર  42.3<br />ડીસા   41.4<br />ભુજ   40.8<br />વડોદરા  40.2<br />ભાવનગર  40.2</p> <p><strong>મોનસૂન અપડેટ્સ </strong></p> <p>ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવતા અઠવાડિયે કેરળમાં પહોંચવાનું છે. પરંતુ આ સારા સમાચાર એક ચેતવણી સાથે આવે છે: આ વર્ષે ચોમાસાની ગતિ ઘણી ધીમી રહેશે, અને સમગ્ર દેશને આવરી લેવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.</p> <p><strong>આ પણ વાંચો:<a title="ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?" href="https://ift.tt/i4g5jPp" target="_self">ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?</a></strong></p> <p><strong>કેરળમાં ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે આવશે?</strong></p> <p>સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. IMD અનુસાર, આ તારીખ 22 મે અને 26 મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ 4 દિવસમાં ફેરફાર થઇ  શકે છે. 2025 માં, ચોમાસુ 24 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું, જે તાજેતરના વર્ષોમાં સૌથી વહેલા આગમનમાંનું એક છે.</p> <p>હાલમાં, <a title="ચોમાસુ" href="https://ift.tt/cBLunxA" target="_self">ચોમાસુ</a> આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ગયું છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે, પરંતુ તેની શરૂઆત ખૂબ મજબૂત અને વ્યવસ્થિત હોવાની અપેક્ષા નથી. સ્કાયમેટ વેધરના સ્થાપક અને અધ્યક્ષ જતીન સિંહના જણાવ્યા અનુસાર, "ચોમાસાની શરૂઆત નબળી અને અસંગઠિત હોવાની શક્યતા છે. ભારતમાં અર્થપૂર્ણ ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે જૂનમાં શરૂ થાય છે."</p> <p>દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો   ઘણા રાજ્યોમાં ચાલી રહેલી તીવ્ર ગરમી વચ્ચે, હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. IMD એ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગની ગણતરી મુજબ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસુ હાલમાં ધીમે ધીમે ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આનાથી આગામી દિવસોમાં ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદ વધવાની ધારણા છે. આગામી 12 કલાકમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસાની અસરો સ્પષ્ટપણે દેખાશે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે પણ ભારે વરસાદની ચેતવણી જાહે કરવામાં આવી છે.</p> <p>ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. આ સમય દરમિયાન હળવો વરસાદ પણ થવાની ધારણા છે. નૈનિતાલ અને ચમોલીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે. હવામાન વિભાગે 22 અને 23 મેના રોજ રાજ્યમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે.<br /> </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...