Skip to main content

Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ


<p><strong>Gujarat Rain:</strong> ગુજરાતમાં અત્યારે અસહ્ય ગરમી વચ્ચે ઉકળાટ અને બફારાનો માહોલ છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હીટવેવ અને સળગતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ પલટાની આગાહી કરી છે, જે ગરમીથી શેકાતા લોકોને કદાચ થોડી રાહત આપી શકે છે, પરંતુ માવઠાની આ આગાહીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો માહોલ પણ સર્જ્યો છે. આગામી 30 મેથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં આગામી 30 મેથી ચાર દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. આ ઉપરાંત આ ચાર દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. </p> <p><strong><a title="Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ" href="https://ift.tt/FiSInW8" target="_self">Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ</a></strong></p> <p>હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 30 મેથી 2 જૂન સુધી હવામાનમાં અચાનક પલટો આવશે. આ સળંગ ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' પડવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળશે અને આકાશ વાદળછાયું બની જશે. થન્ડરસ્ટોર્મ અને તેજ પવનની આ ગતિવિધિઓને કારણે વૃક્ષો કે કાચા મકાનોને નુકસાન થવાની ભીતિ છે, જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.</p> <p>30 મેના રોજ શરૂઆતમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહીસાગર જિલ્લામાં ભારે પવન અને થન્ડરસ્ટોર્મ સાથે માવઠું પડવાની આગાહી છે. ત્યારબાદ 31 મેના રોજ આ સિસ્ટમ વધુ વિસ્તરશે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ તેમજ છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. </p> <p>                                                                                          </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...