Skip to main content

Vav-Tharad: ગેનીબેન ઠાકોરના અપમાનથી કોંગ્રેસ આક્રમક, રેલી યોજી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનો કર્યો પ્રયાસ


<p><strong>Vav-Tharad:</strong> બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઇને આજે વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ રેલી યોજી હતી, આ રેલી દરમિયાન કોંગ્રેસે જગદીશ વિશ્વકર્માનું પૂતળા દહન કરવાનો કાર્યકર્મ યોજ્યો હતો. જોકે, પોલીસે પોતળૂ છીનવી લીધુ હતુ. </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>વાવ-થરાદમાં થોડાક દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલા નિવેદનને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઇ હતી. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, પોલીસે પૂતળુ છીનવી લીધુ હતુ. પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઈ ભુરીયા, ઠાકરશી રબારી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શનની આ રેલી કલેક્ટર કચેરી સુધી યોજી હતી. </p> <p><strong>ગેનીબેન ઠાકોર વિશે શું બોલ્યા હતા જગદીશ વિશ્વકર્મા</strong><br />પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ગેનીબેન ઠાકોર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠક ભાજપને આવવાને બદલે એક બનાસકાંઠાની બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. જે બાબતનું આખા ગુજરાતને રંજ હતું, જોકે હાલની ચૂંટણીમાં આ બનાસકાંઠા વિસ્તારમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના એ બે નેતાઓને એવો તમાચો માર્યો છે કે, તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.</p> <p>ગેનીબેન અને જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના વિશ્વકર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસના આ બંને નેતાઓ માત્ર જ્ઞાતિદાવ અને વર્ગવિગ્રહ ફેલાવે છે. તેઓએ આગળ કહ્યું કે, હું બનાસની બહેન (ગેનીબેન), તમે અમારી સૌની બહેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું અપમાન કર્યું હતું નારી વંદના અધિનિયમ અંગે તે મહિલાઓ ક્યારેય નહીં ભૂલે, તેનો બદલો જનતાએ તમારી (ગેનીબેન) સાડીના પાલવમાંથી આ બે બેઠકો આચકીને લઈ (ભાજપને જીતાવી) આપી છે. જે બાદ આ મામલે વિરોધ શરૂ થયો છે.</p> <p><a title="હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે" href="https://ift.tt/EJxUrVA" target="_self"><strong>હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે</strong></a></p> <p><strong>ગેનીબેનનો પડકાર</strong><br />સમગ્ર મામલે ગેનીબેને પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, જીતના નશામાં જગદીશભાઈએ આ નિવેદન આપ્યું છે. પલ્લુ એટલે મહિલાઓની મર્યાદાની ઓળખ. જેની પર ટિપ્પણી કરવી એ તમામ મહિલાનું અપમાન છે. જગદીશભાઈને સંસ્કૃતિનું, પરંપરાનું કે સાડીના પલ્લુના મહિમા શું છે એ ખબર નહીં હોય. મહાભારતમાં દ્રૌપદીના ચીર હરણ વખતે ઘણા મહાનુભાવો ચૂપ રહ્યા હતાં. આ વખતે પણ ભાજપમાં ઘણા સારા લોકો એવા લોકોને કંટ્રોલ નહીં કરે તો મહાભારતનું પુનરાવર્તન થશે. ગેનીબેન જો જગદીશ વિશ્વકર્માને એટલું જ અભિમાન હોય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠામાંથી લડી બતાવે અને હું પણ મારા મોવડીમંડળને કહીશ કે મને પણ એમની સામે ચૂંટણી લડવા દે... તો એમનું પાણી મપાઈ જશે. બનાસકાંઠાના કોઈ પણ માણસ એમની સામે ચૂંટણી લડવા તૈયાર રહેશે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...