Skip to main content

Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ


<p><strong>Weather Forecast:</strong>  હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી. હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે.  ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ઘટાડાના સંકેત નથી. ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળી રહ્યા છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>શનિવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. રાજકોટ 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યારે અમદાવાદમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા તે બીજું સૌથી ગરમ શહેર રહ્યું.</p> <p><strong>ક્યાં કેટલું તાપમાન નોંધાયું</strong></p> <p>અમદાવાદ- 42.2<br />ગાંધીનગર- 42<br />વડોદરા-40.2<br />અમરેલી-41.3<br />ભાવનગર-41<br />રાજકોટ-41.5<br />સુરેંદ્રનગર- 41.8<br />ડીસા-39.8<br />ભુજ -39.4</p> <p><strong>દેશમાં પ્રચંડ ગરમીથી લોકો ત્રાહિમામ</strong></p> <p>દેશભરમાં પ્રચંડ ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં લોકો અસહ્ય ગરમી અને લૂથી પરેશાન બન્યા છે. તેલંગણામાં હીટવેવના કારણે 16 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જેના કારણે આરોગ્ય વિભાગે પણ  એલર્ટ આપ્યું છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના 12 રાજ્યોના 37 શહેરોમાં તાપમાન 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે.</p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ મધ્ય અને ઉત્તર ભારતમાં મે મહિનાના અંત સુધી ભીષણ લૂ વરસવાની શક્યતા છે. ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવું જોખમી બની શકે છે. તેલંગણાના મોટાભાગના જિલ્લાઓમાં 26 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. પ્રશાસને લોકોને જરૂરી ન હોય તો બપોરે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવાના ઉપાયો અપનાવવા અપીલ કરી છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી" href="https://ift.tt/syMPfdh" target="_self">અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી</a></strong></p> <p>આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. IMD એ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે તીવ્ર ગરમીની ચેતવણી જાહેર કરી છે. હ<a title="વામાન વિભાગે" href="https://ift.tt/RE6VZMa" target="_self">વામાન વિભાગે</a> આગાહી કરી છે કે પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં તાપમાન ખતરનાક સ્તરે પહોંચી શકે છે. રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ગરમ ​​પવન ફૂંકાતા રહેશે, જેનાથી રહેવાસીઓને કોઈ રાહત મળશે નહીં.</p> <p> </p> <p> </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...