
<p><strong>Weather:</strong>ગુજરાતમાં આજથી &nbsp;કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.</p>
<p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે 7 જૂનથી રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સક્રિય થઈ શકે છે. ખાસ કરીને 8 અને 9 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.</p>
<p><strong>આ પણ વાંચો</strong> :W<a title="eather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ" href="https://ift.tt/KeJwZrS" target="_self">eather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ</a></p>
<p><strong>ચોમાસાને લઇને શું કરી આગાહી</strong></p>
<p>ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે. જોકે અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની શક્યતા છે.<br />આગાહી મુજબ 19 અને 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે 23થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારો અને વ્યાપક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p>
<p>તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ખાસ કરીને 8થી 9 જૂન અને ત્યારબાદ જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર આગામી દિવસોના હવામાન પર ટકેલી છે.</p>
<p>ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 જૂન પછી ખેતીલાયક વરસાદ શરૂ થઈ શકે છે, જેનાથી વાવણીની કામગીરીને વેગ મળશે. જોકે તેમણે એ પણ જણાવ્યું છે કે, વૈશ્વિક હવામાન પરિબળ અલ નીનોની અસરને કારણે આ વર્ષે વરસાદના પ્રમાણ પર અસર પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં.</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment