Skip to main content

Weather: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 8-9 જૂને ભારે વરસાદનું એલર્ટ


<p><strong>Weather:</strong>ગુજરાતમાં આજથી  કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.</p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે 7 જૂનથી રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સક્રિય થઈ શકે છે. ખાસ કરીને 8 અને 9 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.</p> <p><strong>આ પણ વાંચો</strong> :W<a title="eather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ" href="https://ift.tt/KeJwZrS" target="_self">eather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ</a></p> <p><strong>ચોમાસાને લઇને શું કરી આગાહી</strong></p> <p>ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે. જોકે અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની શક્યતા છે.<br />આગાહી મુજબ 19 અને 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે 23થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારો અને વ્યાપક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p> <p>તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ખાસ કરીને 8થી 9 જૂન અને ત્યારબાદ જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર આગામી દિવસોના હવામાન પર ટકેલી છે.</p> <p>ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 જૂન પછી ખેતીલાયક વરસાદ શરૂ થઈ શકે છે, જેનાથી વાવણીની કામગીરીને વેગ મળશે. જોકે તેમણે એ પણ જણાવ્યું છે કે, વૈશ્વિક હવામાન પરિબળ અલ નીનોની અસરને કારણે આ વર્ષે વરસાદના પ્રમાણ પર અસર પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...