Skip to main content

Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિટી ઘટી


<p><strong>Weather Update:</strong> રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 42ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકો કાળઝાળ અકળવાતી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ ગરમીથી કોઇ રાહત ન મળવાનો અહેવાલ રજૂ કર્યો છે. જો કે આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. આ સાથે ક્યાંક છૂટછવાયો ઝરમર વરસાદ વરસી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વલસાડ અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે.</p> <p>વલસાડ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે માવઠાની આગાહી પણ કરી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.</p> <p>બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હિલ સ્ટેશન સાપુતારામાં વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે ઘાટમાર્ગ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. ઝીરો વિઝિબિલિટીની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને કારણે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો અને વાહનચાલકો માટે મુશ્કેલી પણ ઉભી થઈ છે.</p> <p><strong>આ પણ વાંચો<a title="<strong>:</strong>Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે " href="https://ift.tt/H5CJNnT" target="_self"><strong>:</strong>Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે </a></strong></p> <p>અન્ય <a title="રાજ્યોના તાપમાનની " href="https://ift.tt/wHkicmx" target="_self">રાજ્યોના તાપમાનની </a>વાત કરીએ તો શનિવારે સવારે દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાન બદલાયું. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ધૂળની આંધી શરૂ થઈ ગઈ. થોડા જ સમયમાં બદરપુર, તુગલકાબાદ અને ફરીદાબાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો અને ગરમીથી થોડી રાહત મળી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw">#WATCH</a> दिल्ली: राष्ट्रीय राजधानी में मौसम में बदलाव देखने को मिला। आसमान में बादल छाए हुए हैं और हल्की हवा चल रही है। <br /><br />वीडियो इंडिया गेट से है। <a href="https://t.co/ZvFQl93x2n">pic.twitter.com/ZvFQl93x2n</a></p> — ANI_HindiNews (@AHindinews) <a href="https://twitter.com/AHindinews/status/2058034554292875332?ref_src=twsrc%5Etfw">May 23, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, 28 મે સુધી ગરમી જેવી સ્થિતિ રહી શકે છે. શુક્રવારે દિલ્હી, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં પણ ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. રાજધાનીના સફદરજંગ સ્ટેશન પર મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ હતું. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ હતું.</p> <p><strong>IMD એ ચેતવણી જાહેર કરી છે</strong><br />હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું  છે. યલો એલર્ટનો અર્થ એ છે કે, કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધી આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે કલાક દરમિયાન દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શાહદરા, મધ્ય દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીમાં મધ્યમ ધૂળના તોફાનો આવવાની શક્યતા છે. દરમિયાન, દક્ષિણ દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કેટલાક ભાગોમાં 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવો વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...