Skip to main content

Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ


<p><strong>Weather Update:</strong>  હવમાન વિભાગે ચોમાસા ધીમી ગતિએ આગળ વધતું હોવાની જાણકારી આપી છે પરંતુ આ પહેલા રાજસ્થાન પર રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખાના કારણે ગુજરાતના વાતવરણમાં પણ અચાનક પલટો આવ્યો  છે.  ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે.  ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક  સુધી ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ</strong></p> <p>દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સંજેલી, ગરબાડા બાદ લીમખેડા પંથકમાં વરસાદ નોંધાયો હતો. લીમખેડાના પાણીયા, દેગાવાડા અને બાંડીબાર ગામોમાં વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સંજેલી, કોટા, થાળા અને ચમારીયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગરબાડા પંથકના પાચવાડા બોરિયાલા અને નવા ફળિયા ગામોમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.</p> <p><strong>મહીસાગર જિલ્લામાં વરસાદ </strong><br />હવામાન વિભાગની આગાહી દરમિયાન મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લુણાવાડા અને સંતરામપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે બાલાસિનોર, ખાનપુર અને વિરપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.</p> <p><strong>અરવલ્લીમાં વરસાદ</strong></p> <p>ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા ગ્રામ્ય વિસ્તાર અને શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વાસેરાકંપા, ઈસરોલ અને ઉમેદપુર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 8  જૂન સુધી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથે જ પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચો: </strong>Weather :<a title=" બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી" href="https://ift.tt/aZivd4O" target="_self"> બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></p> <p><strong>વડોદરામાં વાદળો ઘેરાયા</strong><br />વડોદરા  આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં ઘેરાયેલા વાદળોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે.</p> <p>બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર અને વડાલી વિસ્તારમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. </p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવેલા આ બદલાવથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતો પણ વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સમયનો વરસાદ કેરીના પાકને ખાસ કરીને નુકસા પહોંચાડી શકે છે. </p> <p>રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધોરાજી, ઉપલેટા અને જેતપુર સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે, જો આગામી દિવસોમાં વરસાદ વધુ ખાબકે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તલ અને મગના પાક પર પણ અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગે  8 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં આજથી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે.</p> <p>માનસૂનની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ચિંતાજનક આગાહી પણ કરી છે. વિભાગના અનુમાન મુજબ ચાલુ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું રહી શકે છે અને સામાન્ય કરતાં માત્ર 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં જૂન મહિનામાં પણ હીટવેવની અસર યથાવત રહેવાનો અંદાજ છે. સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા આવી શકે છે. નબળા ચોમાસાના કારણે ખેતી અને મોંઘવારી પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.</p> <p> </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...