
<p><strong>Ambalala Forecast:</strong> વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 18 મેથી <a title="પ્રિ-મોન્સૂન " href="https://ift.tt/wduO9xp" target="_self">પ્રિ-મોન્સૂન </a>એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21થી 23 જૂન દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>&nbsp;</p>
<p class="isSelectedEnd">રાજ્યમાં ભારે ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંશિક રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. ખાસ કરીને 18 મે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.&nbsp; અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે આવી શકે છે, જેના કારણે લોકોને થોડી રાહત મળશે.કચ્છના ભાગોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે અને લોકોને ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.</p>
<p class="isSelectedEnd"><strong>આ પણ વાંચો:<a title="Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ" href="https://ift.tt/FranPNd" target="_self">Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ</a></strong></p>
<p class="isSelectedEnd"><strong>હવામાન વિભાગની આગાહી&nbsp;</strong></p>
<p class="isSelectedEnd">તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા&nbsp; વ્યક્ત કરી&nbsp; મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જેના કારણે લોકો માટે ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને તાપથી લોકો પરેશાન થઈ શકે છે.પરંતુ 19 મે બાદ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટાડો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળવાની આશા છે.</p>
<p>&nbsp;</p>
Comments
Post a Comment