Skip to main content

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?


<p><strong>gujarat rain update today:</strong> ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સહન કર્યા બાદ આખરે લોકોને મોટી રાહત મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાત્રીના 8 થી 10 વાગ્યાના માત્ર 2 કલાકના ગાળામાં જ રાજ્યના 10 જેટલા તાલુકાઓમાં વરસાદી ઝાપટાં અને છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ સવા ઈંચ (1.25 ઈંચ) વરસાદ ખાબક્યો છે. વરસાદના આગમનથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાવણીની રાહ જોતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.</p> <p>સૌથી વધુ મેઘમહેર અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. યાત્રાધામ શામળાજી સહિત ભિલોડા અને મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખેરોજકંપા, ખલવાડ, જીવનપુર અને ટીંટોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભલે વરસાદ મોડો આવ્યો, પણ આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે. પાડોશી જિલ્લા સાબરકાંઠાના હિંમતનગર, વડાલી અને ઈડર પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા છે. ગઢોડા, હડિયોલ, આકોદ્રા, વડગામડા અને થુરાવાસ સહિતના ગામોમાં જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને જેમની પાસે સિંચાઈની કોઈ ખાસ વ્યવસ્થા નથી, તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનીને આવ્યો છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું છે. પાલનપુર શહેર ઉપરાંત વડગામ અને અમીરગઢમાં ધીમીધારે ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ, મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, પવન એટલો તેજ હતો કે તેના કારણે થોડા સમય માટે શહેરનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ સાથે મહિસાગર અને આણંદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-change-junagadh-aravalli-ahmedabad-rain-pre-monsoon-2026-982958">ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ</a></strong></p> <p>ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે મોટા શહેરોમાં પણ વરસાદે લોકોને અસહ્ય બફારામાંથી છુટકારો અપાવ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે બોપલ, શેલા અને શીલજમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે પ્રહલાદનગર, એસ.પી. રિંગ રોડ, સેટેલાઈટ, જોધપુર, શિવરંજની અને સાયન્સ સિટી આસપાસ હળવા વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદ બાદ પાટનગર ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. તો વડોદરા શહેરમાં છાણી, સમા, ગોરવા, સયાજીગંજ, નિઝામપુરા અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે અને ક્યાંક તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. સળંગ ગરમી બાદ આ ઝાપટાં પડતાં શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/weather-18-june-2026-thunderstorm-heavy-rain-alert-13-states-wind-speed-982939">આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...