Skip to main content

ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?


<p><strong>gujarat rain news:</strong> ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધીમાં તો આખું રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વિતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી જેના કારણે ચિંતા વધી છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચવામાં હજુ બીજા 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે.</p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 17 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 18 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આ આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ અને ડેપા સહિતની આસપાસની જગ્યાઓમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટાના કારણે ગરમીથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો અત્યારે ચોમાસાના વાવણી લાયક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/india-monsoon-deficit-2026-kharif-sowing-el-nino-climate-impact-982852">ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત</a></strong></p> <p>જો છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2025માં ચોમાસું 16 જૂને બેઠું હતું, જ્યારે વર્ષ 2024માં તે 3 દિવસ વહેલું એટલે કે 12 જૂને જ આવી ગયું હતું. આ વર્ષે ચોમાસું મોડું પડવા પાછળ 'અલનીનો' જવાબદાર માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ના લોંગ રેન્જ પૂર્વાનુમાન મુજબ, અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થઈ રહી હોવાથી આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.</p> <p>દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. જોકે, ગુજરાતમાં અત્યારે નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મોટો ભાગે હવામાન સૂકું રહ્યું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી 7 દિવસ સુધી પણ તાપમાન આવું જ રહેવાની ધારણા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/weather-update-tomorrow-june-17-rain-alert-delhi-up-bihar-mumbai-982833">આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...