Skip to main content

ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી: 13 જિલ્લા એલર્ટ, આ તારીખથી ધબધબાટી બોલશે!


<p><strong>Gujarat monsoon forecast 2026:</strong> ગુજરાતમાં એક તરફ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. જોકે, 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને 16 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ દરમિયાન પડોશી રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે અને મધ્યપ્રદેશમાં ભયંકર વાવાઝોડાના કારણે 4 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.</p> <p><strong>આકરી ગરમી અને હાલનું તાપમાન</strong></p> <p>રાજ્યમાં હાલ ઉનાળાની આકરી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ એટલે કે 42.7°C નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 33.6°C રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન એકદમ સૂકું રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ જ મોટા ફેરફારની શક્યતા નથી.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો કહેર</strong></p> <p>ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂનની જોરદાર અસર દેખાઈ રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 3 તો એક જ પરિવારના હતા. યુપીના હાથરસમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જ્યારે લખનઉમાં ધોળા દિવસે અંધારું છવાઈ ગયું હતું. રાજસ્થાનના અલવર, કોટપુતલી-બહરોડ અને શ્રીગંગાનગરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/el-nino-monsoon-impact-197-districts-emergency-rain-alert-982301">ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!</a></strong></p> <p><strong>અલનીનોની અસર અને ચોમાસાની પ્રગતિ</strong></p> <p>હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, આ વર્ષે અલનીનોની અસરને લીધે ચોમાસામાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. હાલ ઉત્તર હરિયાણામાં 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની સીધી અસરથી ગુજરાતનું હવામાન પણ બદલાશે.</p> <p>દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવનો ફૂંકાશે, જે વધીને 25 નોટ્સ સુધી પણ જઈ શકે છે. મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું હવે કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 15 જૂન છે, એટલે આગામી દિવસોમાં તે સમયસર પહોંચી જાય તેવી પૂરી શક્યતા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-monsoon-rain-forecast-saurashtra-valsad-umargam-weather-updates-982289">ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!</a></strong></p> <p><strong>ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી:</strong></p> <p>13 જૂન: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ), દક્ષિણ ગુજરાત (છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી) અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે.</p> <p>14 અને 15 જૂન: આ બે દિવસ માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી પંથકમાં જ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ નહીં પડે.</p> <p>16થી 19 જૂન: આ દિવસોમાં વરસાદનો વ્યાપ સહેજ વધશે. ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડવાની પૂરી સંભાવના છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...