Skip to main content

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ


<p>ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે. આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10 ટકાની ઘટ પડવાની સંભાવના છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=JeX73F6RTIKpIj-M" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો</strong></p> <p>કેરળમાં 4 જૂને સમયસર ચોમાસાનું આગમન થઈ ગયું હતું  પરંતુ ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરના ભાગોમાં ફેલાઈ ગયું. ચોમાસાની સક્રિયતા ઘટવાથી લગભગ છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી. પરિણામે જૂનમાં વરસાદની સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઘટ જોવા મળી. જૂનમાં પૂર્વોતર અને પૂર્વીય ભારતમાં 44 ટકા, દક્ષિણ ભારતમાં 30 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો છે. </p> <p>રાજ્યો મુજબ જોવા જઈએ તો દેશમાં મેઘાલયમાં સૌથી વધુ 82 ટકા, ગુજરાતમાં 79 ટકા, મણિપુરમાં 71, છત્તીસગઢમાં 68, ઝારખંડમાં 66, મહરાષ્ટ્રમાં 59, ઉત્તરપ્રદેશમાં 56, ઓડિશામાં 52 અને બિહારમાં 50 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગના મત મુજબ 27 જૂન સુધીમાં ચોમાસાએ માત્ર દેશના 55 ટકા ભાગને આવરી લીધો છે. આ વખતે મુંબઈમાં ચોમાસું 12 દિવસના વિલંબથી આવ્યું. ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનો કારણભૂત હોવાનું કહેવાય છે. આ પહેલા વર્ષ 2002ના જૂનના અંત સુધીમાં માત્ર 50થી 55 ટકા વિસ્તાર આવરી લીધો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં છ વખત અલનીનોની અસર જોવા મળી. જેમાંથી પાંચ વખત દુષ્કાળ અથવા ઓછો વરસાદ નોંધાયો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું વિલંબથી આગળ વધ્યું. જેમાં સાત વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય કે તેથી વધુ રહ્યો હતો. 2019માં અલ-નીનોની અસર છતાં 10 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે હવામાન નિષ્ણાંતોએ અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદની 10 ટકા ઘટનો અંદાજ વ્યકત કર્યો છે.</p> <p><a title="આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?" href="https://ift.tt/vSbd0uw" target="_self">આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?</a></p> <p><strong>ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી</strong></p> <p>સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત મળી રહ્યા છે. એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે છોટાઉદેપુર, નર્મદા તો દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભારે વરસાદની આગાહી કરાઈ છે.</p> <p>અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના શહેરીજનોને વરસાદ માટે હજુ ત્રણ ચાર દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હજુ બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરાઈ છે. આ સાથે જ અસહ્ય ઉકળાટનું પણ અનુમાન વ્યકત કરાયું છે. જુલાઈના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસો કે બીજા સપ્તાહના પ્રારંભે સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...