Skip to main content

સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર બે આરોપીને 20 વર્ષની સજા:કોર્ટે પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો; બન્ને સગીરાને આરોપીઓ લગ્નની લાલચે ભગાડી ગયા હતા


https://ift.tt/KLwey0U નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ખેરગામની બે સગીર પિતરાઈ બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પીડિત સગીરાઓને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. લગ્નની લાલચ આપીને બંને બહેનોને યુવકો ભગાડી ગયા કેસની વિગત મુજબ, આ ઘટના 2025માં બની હતી. નવસારીના ખેરગામમાં મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારની 15 અને 16 વર્ષની બે સગીર પિતરાઈ બહેનો રહેતી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપ નામના બે યુવાનોએ આ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ લગ્નની લાલચ આપીને બંને બહેનોને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા. અજ્ઞાત સ્થળે બંધક બનાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું ઉત્તર પ્રદેશ લઈ જઈ ભોલા કશ્યપ અને માંગે કશ્યપે સગીરાઓને અજ્ઞાત સ્થળે બંધક બનાવી તેમની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાઓ ગુમ થતાં તેમના પરિવારજનોએ ખેરગામ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને સગીરાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી નવસારી લાવી તેમના માતા-પિતાને સોંપી હતી. બંને આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા આ કેસ નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ કોર્ટ સમક્ષ વૈજ્ઞાનિક પુરાવા, મેડિકલ રિપોર્ટ અને ભોગ બનનાર સગીરાઓના નિવેદનો રજૂ કર્યા હતા. સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે ભોલા કશ્યપ અને માંગે કશ્યપને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવવામાં આવ્યો. પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા આદેશ કોર્ટે આકરી સજા ફટકારવાની સાથે માનવતાવાદી અભિગમ દાખવી બંને પીડિત તરૂણીઓને ન્યાય અપાવ્યો છે. અદાલતે 'ધી ગુજરાત વિક્ટિમ કંપનસેશન સ્કીમ' (The Gujarat Victim Compensation Scheme) હેઠળ બંને ભોગ બનનાર સગીરાઓને પુનર્વસન અને સહાય પેટે રૂપિયા 1-1 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી તંત્રને આદેશ કર્યો છે. કોર્ટના આ કડક વલણથી સગીરાઓ પર અત્યાચાર ગુજારનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...