Skip to main content

પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર: ગુજરાતના 51 લાખ ખેડૂતોને મળ્યા 1025 કરોડ રૂપિયા


<p><strong>pm kisan 23rd installment:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલીથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કર્યો છે. આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા થઈ છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે. આ ખુશીના અવસરને વધાવવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીને આધુનિક, સમૃદ્ધ અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.</p> <p><strong>વરસાદ ઓછો પડે તો પણ ચિંતા નહિ, સરકાર ખેડૂતોની પડખે</strong></p> <p>ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અલ-નીનોની અસરના કારણે જો વરસાદ ઓછો પડે તો પણ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. વૈજ્ઞાનિક અભિગમથી અને ઓછા પાણીએ થતા પાકોની પસંદગી કરીને ખેતી સરળતાથી કરી શકાય છે. સિંચાઈની સુવિધા વધારવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં નર્મદા કમાન્ડ એરિયાની આસપાસના તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને હવે 7 કિલોમીટર કરી દેવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>નાના ખેડૂતો માટે લેવાયા મહત્વના નિર્ણયો</strong></p> <p>ખેડૂતોના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે અપાતી તારની વાડ (ફેન્સિંગ) યોજનામાં પણ સરકારે મોટો ફેરફાર કર્યો છે. પહેલા આ યોજનાનો લાભ લેવા માટે 5 હેક્ટર જમીનની મર્યાદા હતી, જે હવે ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દેવામાં આવી છે જેથી નાના અને સીમાંત ખેડૂતો પણ તેનો સરળતાથી લાભ લઈ શકે. આ ઉપરાંત, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે તે માટે સ્ટોરેજ (સંગ્રહ) સુવિધાઓ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.</p> <p><strong>પ્રાકૃતિક ખેતી અને જળ સંરક્ષણ પર વિશેષ ભાર</strong></p> <p>મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને ખેડૂતો માટે એક નવી અને ઉત્તમ તક ગણાવી હતી. તેનાથી જમીનની ફળદ્રુપતા તો જળવાઈ જ રહે છે, સાથે જ બજારમાં પાકના સારા ભાવ પણ મળે છે. જળ સંરક્ષણની વાત કરતા તેમણે ઉમેર્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાના લક્ષ્યાંક કરતા પણ વધુ કામ થયું છે. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/photo-gallery/agriculture/pm-kisan-23rd-installment-2000-rupees-beneficiary-list-check-983222">પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ</a></strong></p> <p><strong>વચેટિયાઓ વિના સીધી સહાય: કૃષિમંત્રી</strong></p> <p>આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે કોઈ પણ વચેટિયાની દખલગીરી વિના સંપૂર્ણ પારદર્શક રીતે ગુજરાતના ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ છે. અત્યાર સુધીમાં દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને 4.50 લાખ કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. 2019માં શરૂ થયેલી આ યોજના આજે બિયારણ, ખાતર અને દવા ખરીદવા માટે ખેડૂતોનો મોટો આર્થિક આધાર બની ગઈ છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ જેવી આફતો વખતે સરકારે આપેલા 11,000 કરોડના રાહત પેકેજનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.</p> <p>આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરના હજારો ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનેક ખેડૂતોને વિવિધ ખેતીલક્ષી યોજનાઓ અંતર્ગત સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.</p> <p><strong>તમારો 23મો હપ્તો જમા થયો છે કે નહિ? આ રીતે ચેક કરો સ્ટેટસ:</strong></p> <p>જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારો હપ્તો જમા થયો છે કે નહિ તે જાણવું સાવ સરળ છે:</p> <p>સૌથી પહેલા પીએમ-કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.</p> <p>હોમપેજ પર આપેલા "ખેડૂત ખૂણા" (Farmers Corner) વિભાગમાં જઈને "તમારી સ્થિતિ જાણો" (Know Your Status) વિકલ્પ પર ક્લિક કરો.</p> <p>તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દેખાતો સિક્યોરિટી કોડ (કેપ્ચા) દાખલ કરો.</p> <p>ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરો.</p> <p>આટલું કરતા જ તમારા 23મા હપ્તાના પેમેન્ટનું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.</p> <p><strong>લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે જોશો?</strong></p> <p>વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.</p> <p>"ખેડૂત ખૂણા" (Farmers Corner) માં જઈને "લાભાર્થી યાદી" (Beneficiary List) પર ક્લિક કરો.</p> <p>હવે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.</p> <p>બધી જ માહિતી ભર્યા પછી "રિપોર્ટ મેળવો" (Get Report) બટન પર ક્લિક કરો.</p> <p>સ્ક્રીન પર તમારા ગામના તમામ પાત્ર ખેડૂતોની યાદી આવી જશે, જેમાં તમે તમારું નામ સરળતાથી શોધી શકશો.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/photo-gallery/agriculture/pm-kisan-23rd-installment-release-date-and-beneficiary-status-982830">પીએમ કિસાન યોજના: આ દિવસે ખાતામાં આવશે ₹2,000, સરકારે જાહેર કરી તારીખ!</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...