Skip to main content

રાજ્યના આ વિસ્તારમાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં નોંધાયો વરસાદ


<p><strong>Gujarat Weather Update: </strong>ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ ત્રણ સિસ્ટમના કારણે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકાઓમાં 1થી 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં 2.91 ઈંચ નોંધાયો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.52 ઈંચ અને ગોધરામાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 1.89 ઈંચ, ઘોઘંબામાં 1.69 ઈંચ અને વડોદરાના ડેસરમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p>દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ભુજ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.         </p> <p><strong>આ પણ વાંચો: <a title="Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન" href="https://ift.tt/OR2z4jt" target="_self">Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન</a></strong></p> <p><strong>હવામાન વિભાગની વરસાદની આગાહી</strong><br />હવામાન વિભાગે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હાલ રાજ્યભરમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બનતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. <br />હવે ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રીની વાત કરીએ તો 30 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું દસ્તક દે તેવા કોઇ સંકેત દેખાતા નથી. હવામાન વિભાગની મોડલના અભ્યાસનું તારણ છે કે, 27 બાદ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પહોંચી શકે છે અને 27 જૂન બાદ મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે  છે. આ મુંબઇના વરસાદ બાદ 7 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...