Skip to main content

ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ


<p><strong>Banaskantha rain update today:</strong> હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ક્યાંક ભારે પવન તો ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને કારણે લોકોને આકરા ઉકળાટ અને ગરમીમાંથી તો મોટી આંશિક રાહત મળી છે, પરંતુ ઉનાળુ પાક લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.</p> <p>ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા પોશીના પંથકમાં પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. આ સાથે જ વિજયનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી છુટકારો મળ્યો છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના હડાદ પંથકમાં પણ ભારે ઉકળાટની વચ્ચે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. અહીંના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મંડાલી, સાઢોસી, બામણોજ અને આમલોઈમાં ગાજવીજ અને ભારે પવન સાથે કરા પડ્યા હતા. ભારે વરસાદના કારણે અહીં પણ રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, કરા અને વાવાઝોડા સાથે વરસેલા આ વરસાદના કારણે ઉનાળુ બાજરી, મકાઈ અને મગફળી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઊભા પાકને મોટું નુકસાન થવાની પૂરી ભીતિ છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/ahmedabad-11-districts-rain-forecast-imd-nowcast-wind-warning-gujarat-981710">આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી</a></strong></p> <p>માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં અને ખાસ કરીને ઘુઘરાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ત્યાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. એકંદરે, આ અચાનક આવેલા વરસાદથી લોકોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-news-ahmedabad-rain-storm-forecast-imd-update-981759">અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...