Skip to main content

જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર: વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરાઈ, જાણો અન્ય સુધારા


<p><strong>Gyan Sahayak recruitment rules 2026:</strong> ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકાયેલી 'જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)' ના નિયમોમાં શિક્ષણ વિભાગે ધરખમ ફેરફારો કર્યા છે. અગાઉ ઉમેદવારોને પસંદગીના જિલ્લામાં શાળા ન મળતી અથવા હાજર થયા પછી છૂટા થઈ જતા, જેથી શિક્ષણ પર ખરાબ અસર પડતી હતી. આ મુશ્કેલીઓનો અંત લાવવા માટે સરકારે 3 જૂન 2026 ના રોજ એક નવો ઠરાવ બહાર પાડીને ભરતી પ્રક્રિયા અને સેવાકીય શરતોમાં મહત્વના સુધારા કર્યા છે.</p> <p>ચાલો જાણીએ નવા સુધારા મુજબ જ્ઞાન સહાયક ભરતીમાં શું મોટા ફેરફારો થયા છે:</p> <p><strong>1. વયમર્યાદામાં મોટો વધારો (40 થી 48 વર્ષ):</strong></p> <p>અગાઉ જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષની હોવી જરૂરી હતી. પરંતુ નવા નિયમ મુજબ આ વયમર્યાદા 8 વર્ષ વધારીને સીધી 48 વર્ષ કરી દેવામાં આવી છે. આનાથી મોટી ઉંમરના પણ ઘણા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>2. મેરિટ પર્સન્ટાઈલ નહીં, હવે વાસ્તવિક ગુણથી બનશે:</strong></p> <p>પહેલા TET-2 પરીક્ષાના પર્સન્ટાઈલ રેન્કના આધારે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર થતું હતું. પણ હવે આ સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે ધોરણ 1 થી 5 માટે TET-1 અને ધોરણ 6 થી 8 માટે TET-2 ની પરીક્ષામાં ઉમેદવારે જેટલા સાચા માર્ક્સ (વાસ્તવિક ગુણ) મેળવ્યા હશે, તેના જ આધારે મેરિટ લિસ્ટ બનશે.</p> <p><strong>3. નોન-SOE (સામાન્ય) શાળાઓમાં પણ મળશે તક:</strong></p> <p>પહેલા માત્ર 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' (SOE) હેઠળ આવતી શાળાઓમાં જ જ્ઞાન સહાયકો મૂકી શકાતા હતા. પરંતુ હવે સામાન્ય સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ જો ખાલી જગ્યા હશે અથવા કોઈ શિક્ષક 2 મહિનાથી વધુ રજા પર હશે, તો ત્યાં પણ જ્ઞાન સહાયકની નિમણૂક કરી શકાશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-teacher-recruitment-2026-apply-online-vidya-sahayak-dpegujarat-in-980995">ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?</a></strong></p> <p><strong>4. શાળા ફાળવણીની પ્રક્રિયા હવે સાવ નવી:</strong></p> <p>માત્ર 1 જિલ્લો પસંદ કરવાનો: ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નોકરી કરવા માટે માત્ર 1 જ જિલ્લો પસંદ કરવાનો રહેશે.</p> <p>રૂબરૂ બોલાવીને શાળા અપાશે: ઓનલાઈન પ્રક્રિયા બાદ મેરિટ યાદી તૈયાર કરીને જે-તે જિલ્લા શિક્ષણાધિકારીને મોકલાશે. પછી જિલ્લા કક્ષાએથી ઉમેદવારોને મેરિટ મુજબ રૂબરૂ બોલાવીને તેમની મનગમતી શાળા પસંદ કરવા દેવામાં આવશે. અગાઉની જે અન્ય શાળામાં ફાળવણી કરવાની સિસ્ટમ હતી તે સાવ રદ કરી દેવાઈ છે.</p> <p>TET-1 અને TET-2 માં અદલાબદલી: જો ધોરણ 1 થી 5 માં TET-1 પાસ ઉમેદવાર ઘટે તો TET-2 પાસ ઉમેદવારને લેવાશે. તેવી જ રીતે ધોરણ 6 થી 8 માં જો TET-2 ના ઉમેદવાર નહીં મળે તો TET-1 ના ઉમેદવારને ફાળવી શકાશે.</p> <p><strong>5. પહેલીવાર વેટિંગ લિસ્ટની જોગવાઈ:</strong></p> <p>ભરતી પ્રક્રિયામાં હવે ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા ઉમેદવારોનું 'વેટિંગ લિસ્ટ' (પ્રતિક્ષા યાદી) પણ બનાવવામાં આવશે. જો નિવૃત્તિ, પ્રસૂતિ રજા કે બદલીના કારણે કોઈ જગ્યા ખાલી પડે, તો વેટિંગ લિસ્ટવાળા ઉમેદવારોને વારાફરતી તક આપવામાં આવશે. જોકે, જો કોઈ કાયમી શિક્ષક હાજર થવાથી અગાઉ કોઈ જ્ઞાન સહાયકને છૂટા કરાયા હશે, તો તેમને આવી ખાલી જગ્યાઓ પર પહેલી પસંદગી અપાશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-govt-jobs-apply-for-2500-gpssb-health-worker-vacancies-2026-978736">GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત</a></strong></p> <p><strong>6. કાયમી શિક્ષક આવે તો સેવા સમાપ્ત:</strong></p> <p>જ્ઞાન સહાયકોની નિમણૂક 11 મહિનાના કરાર પર જ રહેશે. પરંતુ જો આ 11 મહિના પૂરા થાય એ પહેલાં કોઈ કાયમી શિક્ષકની ભરતી થાય, બદલી થઈને કોઈ શિક્ષક આવે કે પછી રજા પર ગયેલા શિક્ષક પાછા ફરે, તો જ્ઞાન સહાયકને તરત જ છૂટા કરી દેવામાં આવશે.</p> <p>આ તમામ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેથી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી અને વ્યવસ્થિત રીતે ભરી શકાશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...