Skip to main content

ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?


<p><strong>Gujarat rain updates:</strong> ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવાના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે, તો બીજી તરફ આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.</p> <p><strong>અમરેલીમાં મેઘરાજા મહેરબાન</strong></p> <p>અમરેલી જિલ્લામાં મેઘરાજા સતત 5માં દિવસે પણ મહેરબાન રહ્યા છે. સાવરકુંડલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને વીજપડી, ખડસલી, નવાગામ અને છાપરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજપડી ગામે તો એટલો વરસાદ ખાબક્યો કે રોડ-રસ્તાઓ પર પાણી જ પાણી ફરી વળ્યા હતા. સતત 5મા દિવસે વરસાદ ચાલુ રહેતાં સાવરકુંડલા પંથકના ખેડૂતો ખુબ જ ખુશખુશાલ છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર કરી લીધું છે, તેમને આ વરસાદથી મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ભાવનગરમાં વરસાદની એન્ટ્રી</strong></p> <p>ભાવનગરમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની એન્ટ્રી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કાળિયાબીડ, કાળાનળા, પાનવડી અને સરદારનગર વિસ્તારમાં વરસાદ શરૂ થતાં લોકોને રાહત મળી હતી. ભાવેણાવાસીઓ ઘણા સમયથી આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતાં અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો છે.</p> <p><strong>વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ</strong></p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા જિલ્લાના શિનોર પંથકના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ ગઈ છે. શિનોરના સાધલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબક્યો છે. દિવસભરની આકરી ગરમી અને બફારાથી શિનોર પંથકના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, તેમને આ વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/imd-monsoon-tracking-weather-update-rain-alert-seventeen-states-india-983325">Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ</a></strong></p> <p><strong>નર્મદાના સાગબારામાં વરસ્યા કરા</strong></p> <p>નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં અને તેના આસપાસના ગ્રામીણ પંથકમાં પણ હવામાનમાં બદલાવ આવ્યો છે. અહીં ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે, તો સાગબારાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે. ચોપડવાવ, ધનશેરા અને સેલમ્બા સહિતના ગામોમાં છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદની આ શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.</p> <p><strong>વલસાડના કપરાડામાં ખુશનુમા વાતાવરણ</strong></p> <p>રાજ્યના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતા વલસાડના કપરાડા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કપરાડા અને સીલધા પંથકના ગામો તેમજ સુથારપાડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પહાડી વિસ્તારમાં વરસાદ થવાથી વાતાવરણ એકદમ ખુશનુમા અને ઠંડુ બની ગયું છે. સારા વરસાદના પગલે અહીંના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/pre-monsoon-rain-gujarat-amreli-navsari-waterlogging-bardoli-surat-983319">કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...