Skip to main content

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!


<p><strong>gujarat monsoon forecast 2026:</strong> દેશના 16 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીની વચ્ચે જ વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જો આવનારા દિવસોની વાત કરીએ તો, 11 અને 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ત્યારબાદ, 13 જૂને મેઘરાજા પોતાનો વ્યાપ થોડો વધારશે. આ દિવસે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની સાથે-સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બંને સંઘ પ્રદેશોમાં હળવો વરસાદ વરસી શકે છે. હાલમાં રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.</p> <p>ચોમાસાની આ આગેકૂચ વચ્ચે વલસાડ જિલ્લામાં તો વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ ચૂક્યું છે. ઉમરગામ અને તેની આસપાસના પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ લાંબા સમયની ગરમી બાદ પડેલા આ પહેલા વરસાદથી સ્થાનિક નાગરિકોને ઠંડકનો અહેસાસ થયો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/tomorrow-weather-june-10-storm-rain-alert-uttar-pradesh-bihar-updates-982244">આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ</a></strong></p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી</strong></p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.</p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસ રાહત નહીં મળે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...