Skip to main content

શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ


<p><strong>amreli lion attack news:</strong> અમરેલી અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહ અને દીપડાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો છે. છેલ્લા માત્ર 8 જ દિવસમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. બગસરા, રાજુલા અને સાવરકુંડલા પંથકમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે હવે ખેડૂતો માટે ખેતરમાં જવું અને માલધારીઓ માટે પોતાના પશુઓને બચાવવા અત્યંત જોખમી બની ગયું છે. વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠાવતા લોકો હવે તાત્કાલિક સુરક્ષાની માંગ કરી રહ્યા છે.</p> <p><strong>8 દિવસમાં 3 હુમલા: નિર્દોષ લોકો બન્યા શિકાર</strong></p> <p>અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની સિલસિલાબંધ ઘટનાઓ સામે આવી રહી છે, જે ખરેખર ચિંતાજનક છે.</p> <p>બગસરાના ઘંટીયાળમાં: એક 7 વર્ષના ખેતમજૂરના બાળકને વન્ય પ્રાણીએ પોતાનો શિકાર બનાવ્યો.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>સાવરકુંડલાના જુના સાવર ગામે: 60 વર્ષીય ખેડૂત દિલીપભાઈ દેસાઈ ખેતરે ગયા બાદ 6 દિવસથી લાપતા હતા. આખરે 48 કલાકની ભારે શોધખોળ બાદ અલગ-અલગ વિસ્તારોમાંથી તેમના શરીરના અવશેષો મળી આવ્યા, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.</p> <p>રાજુલાના કોવાયામાં: અહીંની ઘટનાએ તો લોકોને હચમચાવી દીધા છે. હોટલમાં કામ કરતો મૂળ ઉત્તરાખંડનો 25 વર્ષીય યુવક પ્રકાશચંદ વહેલી સવારે જઈ રહ્યો હતો, ત્યારે TPP પાવર પ્લાન્ટ પાસે એક સિંહણે તેના પર હુમલો કરી દીધો. સિંહણ તેને ખેંચીને કાંટાળી ઝાડીઓમાં લઈ ગઈ અને ફાડી ખાધો. મૃતક યુવકની માત્ર ખોપડી અને પાંસળીના અમુક ટુકડા જ બચ્યા હતા.</p> <p><strong>શું સિંહો માનવભક્ષી બની રહ્યા છે?</strong></p> <p>રાજુલા પંથકમાં સિંહના હુમલાની ઘટના બાદ વનવિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારમાં 4 સિંહ પરિવારો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આમાંથી વનવિભાગે તાત્કાલિક એક સિંહને ટ્રાન્ક્યુલાઈઝ કરીને (બેભાન કરીને) પાંજરે પૂરી દીધો છે અને અન્ય સિંહોને પકડવાની કવાયત ચાલુ કરી દીધી છે. માત્ર 5 દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના હતી, જેને પગલે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સરકારમાં રજૂઆત કરી છે. સિંહોનું માનવો પર હુમલો કરવાનું વલણ જોઈને લોકોમાં એવી દહેશત છે કે ક્યાંક સિંહો માનવભક્ષી તો નથી બની રહ્યા ને!</p> <p><strong>ખેડૂતો અને માલધારીઓની ઊંઘ હરામ</strong></p> <p>ગામડાઓ અને ખેતીના વિસ્તારોમાં સિંહ અને દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે.</p> <p>ખેડૂતોની મુશ્કેલી: ખેડૂતો દિવસ કે રાત, કોઈ પણ સમયે ખેતરમાં જઈ શકતા નથી. કામ કરવું જીવના જોખમ સમાન બની ગયું છે.</p> <p>માલધારીઓ પરેશાન: જંગલી પ્રાણીઓ સીધા ગામમાં ઘૂસીને પશુઓનો શિકાર કરી રહ્યા છે, જેના કારણે માલધારીઓને પોતાનું પશુધન બચાવવું એક મોટો પડકાર લાગી રહ્યો છે.</p> <p>સ્થાનિક લોકો વનવિભાગની કામગીરીથી ભારે નારાજ છે. તેમનો સીધો આરોપ છે કે વનવિભાગની નિષ્ફળતાના કારણે તેમને આ ભયના ઓથાર હેઠળ જીવવું પડી રહ્યું છે. લોકો તાત્કાલિક અસરકારક પગલાં અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.</p> <p><strong>ભાવનગરમાં પણ આવી જ ખૌફનાક ઘટના</strong></p> <p>ફક્ત અમરેલી જ નહીં, ભાવનગર જિલ્લામાં પણ સિંહની દહેશત જોવા મળી છે. ગઢડા નજીક આવેલા પીંગળેશ્વર મંદિર પાસે કેટલાક માનવ અંગો મળી આવતા પોલીસ અને વનવિભાગ દોડતા થઈ ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ અંગો નાગજી ગુજરીયા નામના વ્યક્તિના છે. વનવિભાગને પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા છે કે સિંહના હુમલામાં જ નાગજીનું મોત થયું છે. આ વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી ગઈ છે, જેથી સ્થાનિક લોકોમાં ભારે ડર છે. હાલમાં પોલીસ અને વનવિભાગ બંને સંયુક્ત રીતે આ મોત પાછળનું સચોટ કારણ જાણવા માટે ઊંડી તપાસ કરી રહ્યા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...