Skip to main content

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત


<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો માહોલ જામ્યો છે. આજે 7 જૂને એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ ચાલુ રહેશે. સારા સમાચાર એ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે પવન અને વરસાદનો માહોલ છવાયો છે.</p> <p><strong>ગુજરાતનું હવામાન: ક્યાં વરસાદ અને ક્યાં ગરમી?</strong></p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જોકે, અમદાવાદીઓએ હજુ અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>તાપમાનની સ્થિતિ: આગામી 7 દિવસ (13 જૂન સુધી) રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે, જ્યારે રાજ્યનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી નોંધાવાની શક્યતા છે.</p> <p>આગામી દિવસોની આગાહી: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ વાતાવરણ એકદમ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં આખું અઠવાડિયું વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાહતની વાત એ છે કે, અગાઉ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની જે ચેતવણી અપાઈ હતી તે હવે હવામાન વિભાગે પાછી ખેંચી લીધી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/imd-very-heavy-rainfall-alert-thunderstorm-strong-wind-warning-2026-981974">Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!</a></strong></p> <p><strong>ચોમાસાની શાનદાર એન્ટ્રી</strong></p> <p>દેશમાં ચોમાસાની રફતાર હાલ એકદમ મજબૂત છે. 6 જૂનના રોજ ચોમાસાએ ગોવા પાર કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં એન્ટ્રી મારી દીધી છે. એટલું જ નહીં, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને મિઝોરમ-મણિપુર સુધી પણ તે પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધે તેવો પૂરેપૂરો માહોલ સર્જાઈ રહ્યો છે.</p> <p><strong>અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂનનો કહેર</strong></p> <p>ગુજરાત સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદે ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે, જેના લીધે અમુક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ છે:</p> <p>શનિવારે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો હતો.</p> <p>જાનહાનિ: વીજળી પડવાને કારણે બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં 4 લોકોના, જ્યારે ઝારખંડમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કેરળના ત્રિશૂરમાં પણ ઝાડ પડવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.</p> <p>નુકસાન: મધ્યપ્રદેશના 4 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને શાજાપુરમાં તો કરા પણ પડ્યા. નર્મદાપુરમમાં એક હોસ્ટેલ પર ઝાડ પડ્યું હતું. આ તરફ રાજસ્થાનના બીકાનેરમાં કરા પડ્યા હતા અને યુપીના મઉ તેમજ ગાઝીપુરમાં 50 kmph ની ઝડપે પવન ફૂંકાતા ક્યાંક છાપરાં ઉડ્યા તો ગોરખપુરમાં ધૂળભરી આંધી જોવા મળી હતી.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-forecast-monsoon-arrival-date-three-rain-systems-2026-981967">ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...