Skip to main content

રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ


<p><strong>Gujarat Weather Update:</strong>હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગત બપોર બાદથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન  સાથે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ લગભગ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ખરાબ હવામાનના કારણે અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટને સુરત અને રાજકોટ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.</p> <p> </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>દાહોદમાં મીની વાવાઝોડું, એકનું મોત</strong></p> <p>દાહોદ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીમાં  લગાવવામાં આવેલ સાઇનબોર્ડ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા હતા અને એક માં 70 વર્ષીય શક્કરિયા ભાઈ નીનાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.  ઘાયલો બાળકોને  સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.  વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.</p> <p>આ ઉપરાંત ભીલવાડા વિસ્તારમાં બાઈક ચાલક પર પતરું પડતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગલાલીયાવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ઘાયલ થઈ હતી.</p> <p><strong>વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ</strong></p> <p>વડોદરાના શિનોર તાલુકા સહિત સાધલી, અવાખલ, ટીંબરવા, ઉતરાજ, તેરસા અને તરવા જેવા ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. શિનોરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા.</p> <p>બોડેલી અને આસપાસના ઢોકલીયા, ચાચક, આલિખેરવા અને મોડાસર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને તોફાની પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જોકે તલ અને મગ જેવા પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.</p> <p>ડભોઈ, પાદરા અને સાવલીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી.</p> <p><strong>આણંદમાં ધૂળની ડમરીઓ બાદ વરસાદ વરસ્યો</strong></p> <p>આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.</p> <p><strong>મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી</strong></p> <p>મહીસાગર જિલ્લામાં તોફાની પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. હાલોલ-શામળાજી હાઈવે પર વૃક્ષ પડતાં એક ટુ-વ્હીલર તેની નીચે દબાઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી.</p> <p><strong>ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ</strong></p> <p>રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને પવનના કારણે અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.</p> <p><strong>અરવલ્લીમાં હાઈવે પર ટ્રાફિકજામ</strong></p> <p>ધનસુરા-મોડાસા હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. ધનસુરા પોલીસે ભારે જહેમત બાદ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.</p> <p><strong>ખેડા જિલ્લામાં વરસાદથી રાહત</strong></p> <p>ખેડા જિલ્લાના મહેમદાવાદ, મહુધા અને કઠલાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી, પરંતુ બાજરી, જુવાર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા પણ ખેડૂતોમાં ચિંતાનો વિષય બની છે.</p> <p><strong>રાજ્યભરમાં ઠંડક પ્રસરી </strong></p> <p>પ્રિમોન્સૂન વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે તોફાની પવન, વીજળી અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો, વાહન વ્યવહાર ખોરવાયો હતો આ સાથે  ખેતીને નુકસાન પહોંચ્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હવામાન વિભાગે આગામી 5 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...