Skip to main content

ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે? અંબાલાલ પટેલે કરી નવી આગાહી, આ તારીખ બાદ મેઘમહેરની શક્યતા


<p><strong>ambalal patel monsoon forecast 2026:</strong> ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, હવામાં ભેજનો અભાવ અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે હાલ વરસાદ ખેંચાયો છે. જોકે, આગામી 6 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને 16 જૂન પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા છે.</p> <p><strong>ગરમી અને ભેજના અભાવે વરસાદ ખેંચાયો</strong></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને હવામાં પૂરતો ભેજ ન હોવાથી ચોમાસું ધીમું પડ્યું છે. અરબ સાગર અત્યારે સક્રિય નથી, જેને કારણે ગુજરાતમાં વરસાદ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ મુંબઈમાં પણ ચોમાસું અટકી ગયું છે, જ્યારે બીજી તરફ પૂર્વ ભારતમાં ચોમાસું સારી રીતે સક્રિય થઈ ચૂક્યું છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?</strong></p> <p>આગામી દિવસોની વાત કરીએ તો, મુંબઈમાં 15 જૂન પછી ચોમાસું ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. જ્યારે ગુજરાતમાં 16 જૂન બાદ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે સારો વરસાદ આવી શકે છે. જોકે, ત્યાં સુધી આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. એટલે કે, લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે પણ સાર્વત્રિક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/el-nino-impact-gujarat-monsoon-rain-forecast-mp-storm-deaths-982527">ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી: 13 જિલ્લા એલર્ટ, આ તારીખથી ધબધબાટી બોલશે!</a></strong></p> <p><strong>સપ્ટેમ્બરમાં દેખાશે અલ નીનોની અસર</strong></p> <p>ખેડૂતો અને સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય એ પણ છે કે આ વર્ષે ચોમાસા પર અલ નીનોનું ગ્રહણ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અલ નીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વરસાદના પ્રમાણમાં ખાસ્સી એવી વધઘટ થઈ શકે છે, જેની સીધી અસર ખેતી અને પાક પર પડી શકે છે.</p> <p><strong>ખેડૂતો માટે માઠા સમાચાર: અલ નીનોથી વરસાદ ઘટશે</strong></p> <p>ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે ચોમાસાને લઈને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'ની ઘેરી અસર જોવા મળશે, જેના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે. જોકે, એક તરફ 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે અને 19 જૂન સુધી અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે, ત્યારે સરકારે પણ વરસાદ ખેંચાવાની સ્થિતિને પહોંચી વળવા 197 જિલ્લાઓમાં આગોતરા આયોજનના ભાગરૂપે એલર્ટ આપી દીધું છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/weather-tomorrow-11-june-2026-rain-alert-in-16-states-982319">આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...