Skip to main content

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ


<p><strong>indian monsoon break phase:</strong> ભારતમાં ચોમાસું થોડું ધીમું પડ્યા બાદ હવે ફરી એકવાર રફતાર પકડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ અપડેટ મુજબ, 23 જૂનની આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે. અત્યારે જ્યાં અમુક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યાં ઉત્તર ભારત અને ગુજરાત સહિતના વિસ્તારો હજુ પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ અસમાન વરસાદની સીધી અને મોટી અસર દેશની ખેતી અને ખેડૂતો પર પડી રહી છે. ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખરીફ પાકના વાવેતરને મોટું નુકસાન થવાની ભીતિ છે.</p> <p><strong>અત્યારે ક્યાં પહોંચ્યું છે ચોમાસું?</strong></p> <p>હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ચોમાસાની લાઇન હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર સુધી પહોંચી ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે દક્ષિણ અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી અને રાજસ્થાન સહિત આખા ઉત્તર ભારતમાં લોકો હજુ વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાત અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી હજુ અધૂરી છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ચોમાસાએ કેમ મારી બ્રેક?</strong></p> <p>આ વર્ષે કેરળમાં ચોમાસાએ થોડી મોડી એન્ટ્રી કરી, પણ ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે અચાનક તેની ગતિ ધીમી પડી ગઈ. હવામાનની ભાષામાં આને "ચોમાસાનો વિરામ" (Monsoon Break) કહેવાય છે. સેટેલાઇટ તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાયું કે વાદળો ઓછા થઈ ગયા અને વરસાદ અચાનક ઘટી ગયો. અલબત્ત, ચોમાસું પૂરું નથી થયું, બસ તેનો સક્રિય તબક્કો થોડો નબળો પડ્યો છે. આ પાછળ 'અલ નીનો' ની અસર પણ જવાબદાર માનવામાં આવી રહી છે. પેસિફિક મહાસાગરનું ગરમ પાણી ભારતમાં ભેજવાળા પવનોને નબળા પાડે છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/rains-in-5-districts-of-gujarat-amreli-facing-flood-situation-983397">ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?</a></strong></p> <p><strong>23 જૂનથી ફરી જામશે વરસાદી માહોલ</strong></p> <p>IMD ની આગાહી મુજબ, હવે ધીમે ધીમે વાતાવરણ ફરી અનુકૂળ બની રહ્યું છે અને 23 જૂનની આસપાસ ચોમાસું ફરી જોર પકડી શકે છે. આગામી દિવસોમાં તે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના વિસ્તારોમાં આગળ વધશે. 19 થી 25 જૂન વચ્ચે નોર્થ-ઈસ્ટના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.</p> <p><strong>પૂર્વથી લઈને પશ્ચિમ સુધીનું હવામાન</strong></p> <p>પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ ભારતમાં અત્યારે છૂટોછવાયો વરસાદ છે, જે 20 જૂન પછી જોર પકડશે. પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવામાં 22 જૂન પછી સારો વરસાદ પડવાની ધારણા છે. સામે પક્ષે, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી, ત્યાં માત્ર પ્રી-મોનસૂન એક્ટિવિટી (જેમ કે આંધી-તોફાન અને સામાન્ય છાંટા) જોવા મળી રહી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/heavy-rain-in-gujarat-29-talukas-drenched-orange-alert-in-surat-983398">ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર</a></strong></p> <p><strong>ખેડૂતો પર બેવડો માર: ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ</strong></p> <p>આ વર્ષના અનિયમિત ચોમાસાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેતી પર જાણે બેવડો માર પડ્યો છે. જે વિસ્તારોમાં વરસાદ પહોંચી ગયો છે (જેમ કે આસામ, મેઘાલય, બંગાળ), ત્યાં ભારે વરસાદ અને પૂરને કારણે ડાંગરના ધરુવાડિયા (નર્સરી) ને નુકસાન થઈ રહ્યું છે. અને જ્યાં વરસાદ નથી પડ્યો (જેમ કે ઉત્તર અને મધ્ય ભારત), ત્યાં કાળઝાળ ગરમી અને દુષ્કાળ જેવી સ્થિતિને લીધે સિંચાઈનો ખર્ચ વધી ગયો છે.</p> <p>ખરીફ પાક સંપૂર્ણપણે ચોમાસા પર આધારિત છે, ત્યારે વરસાદ ખેંચાતા વાવણીમાં મોડું થઈ રહ્યું છે. ઘણા ખેડૂતો સૂકી જમીનમાં વાવેતર કરવાનું જોખમ લઈ રહ્યા છે. જો વરસાદની ખેંચ આવી જ રહેશે, તો પાકના ઉત્પાદન અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...