Skip to main content

હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે


<p><strong>Gujarat rain forecast:</strong> રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. આજે 28 જૂને ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.</p> <p><strong>હાલની સ્થિતિ: ક્યાંક વરસાદ, તો ક્યાંક કાળઝાળ ગરમી</strong></p> <p>છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ નવાઈની વાત એ છે કે રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ગઈકાલે (27 જૂને) અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીમાં 39.9, ભાવનગરમાં 37.6 અને ભુજમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદે જમાવટ કરી નથી.</p> <p><strong>માછીમારો માટે ખાસ ચેતવણી</strong></p> <p>હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી સંભાવના છે. ખરાબ હવામાનને કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/ambalal-patel-gujarat-monsoon-rain-forecast-weather-update-heavy-alert-983894">અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!</a></strong></p> <p><strong>કયા દિવસે ક્યાં પડશે વરસાદ?</strong></p> <p>હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે જાહેર કરવામાં આવેલી આગાહી નીચે મુજબ છે:</p> <p>28 જૂન: દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આવું જ વાતાવરણ રહેશે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.</p> <p>29 અને 30 જૂન: અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.</p> <p>1 જુલાઈ: જુલાઈની શરૂઆતથી મેઘરાજા ખરી જમાવટ કરશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.</p> <p>2 અને 3 જુલાઈ: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-forecast-next-3-hours-rain-and-thunderstorm-alert-update-983909">ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી</a></strong></p> <p><strong>હવામાન નિષ્ણાતની આગાહી</strong></p> <p>હવામાન જ્યોતિષ જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. 2 જુલાઈએ ચોમાસું સમગ્ર ગુજરાતમાં છવાઈ જવાની શક્યતા છે.</p> <p>તેમની આગાહી મુજબ, 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પરંતુ 2 થી 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને સારો વરસાદ પડશે. ખાસ કરીને 1 અને 2 જુલાઈના રોજ ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...