Skip to main content

Gujarat:રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ, 8 જૂન સુધી ભરાશે ફોર્મ


<p>રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે સત્તાવાર નોટિફિકેશન જાહેર થવાનું છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે.</p> <p> </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મથામણ</strong></p> <p>Bharatiya Janata Party (ભાજપ)માં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે આંતરિક કવાયત શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓ મુજબ, સંગઠન અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.</p> <p>મળતી માહિતી અનુસાર, જગદિશ વિશ્વકર્માની દિલ્હી મુલાકાત દરમિયાન રાજ્યસભાના ઉમેદવારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે.</p> <p><strong>અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા</strong><br />સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે. અંજલિબેન રૂપાણીને રાજ્યસભા માટે મોકો મળી શકે છે. પાર્ટી સામાજિક સમીકરણો અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર નિર્ણય લઈ શકે છે.</p> <p><strong>વર્તમાન સભ્યોની મુદત પૂર્ણ થવા તરફ</strong><br />રાજ્યસભામાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.તે ઉપરાંત નરહરી અમીન (પાટીદાર સમાજ), રમીલા બારા (આદિવાસી સમાજ) અને અન્ય સાંસદોની મુદત પણ પૂર્ણ થઈ રહી છે. આ કારણે ચાર બેઠકો પર નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતા જોવાઇ રહી  છે.</p> <p><strong>રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા</strong><br />ચર્ચા મુજબ, ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાત કોટામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઘટીને શૂન્ય થઈ શકે છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત બનશે. હાલ 11માંથી 10 બેઠકો ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે.</p> <p><strong>લોબિંગ અને રાજકીય ગતિવિધિઓ તેજ</strong></p> <p>રાજ્યસભામાં સ્થાન મેળવવા માટે અનેક નેતાઓ દ્વારા પડદા પાછળ લોબિંગ શરૂ થઈ ગયું છે. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી ચૂંટણી મોટાભાગે ઔપચારિક બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.</p> <p><strong>દિલ્લીમાં બીજેપીના તમામ પ્રદેશ અધ્યક્ષોની બેઠક</strong><br />દિલ્હીમાં આજે Bharatiya Janata Party (ભાજપ)ના તમામ પ્રદેશ અધ્યક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સવારે 11 વાગ્યાથી ભાજપ મુખ્યાલયમાં યોજાશે. બેઠકની અધ્યક્ષતા Nitin Navin કરશે.આ બેઠકમાં પાર્ટીના સંગઠન મહામંત્રી B. L. Santosh તેમજ અન્ય તમામ રાષ્ટ્રીય મહામંત્રીઓ પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાનોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સાથે જ સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા અને રાજ્યોમાં પાર્ટીની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓ અને નવી વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સંગઠનના વિસ્તરણ અને બૂથ સ્તર સુધી પાર્ટીને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવશે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...