Skip to main content

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?


<p>Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે  રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની સંભાવના છે. એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. </p> <p><strong>રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જમ્મુ-કશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. </p> <p>કેરલમમાં ત્રણ દિવસ મોડા આગમન બાદ હવે ચોમાસાએ ગતિ પકડી છે. કર્ણાટકના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરી ચોમાસું સમય પર ગોવા પહોંચી ગયું છે. અહીં ચોમાસાનું આગમન સામન્ય રીતે પાંચ જૂન થાય છે. કેરલમના દરિયાકાંઠાથી 35 કિલોમીટર દૂર સમુદ્રમાં ચોમાસું 12 દિવસ સુધી અટવાયું હતું. જો કે કેરલમમાં પહોંચ્યાના પહેલા જ દિવસે તે 580 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર છવાઈ ગયું અને બીજા દિવસે કર્ણાટકની 350 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પાર કરી તે ગોવા પહોંચ્યું અને 10-11 જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે...તો 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો કે કેરલમમાં ચોમાસાન આગમન બાદ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી-NCR સહિત 27 રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.</p> <p>રાજસ્થાનમાં ચોમાસું જુલાઈના પ્રથમ સપ્તાહમાં પહોંચશે. તે પહેલા જ રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની શરૂઆત થઈ ચુકી છે. રાજસ્થાનના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, ભિલવાડા જયપુર સહિતના શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બિકાનેરના લુણકરણસરમાં ભારે વરસાદથી રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ચુરુમાં પણ ભારે પવન સાથે વરસાદથી સ્થિતિ વિકટ બની હતી. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આઠ જૂન સુધી રાજસ્થાનમાં આંધી અને વરસાદની આગાહી કરાઈ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...