Skip to main content

Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી


<p><strong>Gujarat Weather Forecast:</strong> રાજયના મોટાભાગના વિસ્તારમાં હાલ ઉનાળા જેવી જ કાળઝાળ ગરમી પડી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડતાં હજું ચોમાસા સમગ્ર મહારાષ્ટ્રને પણ આવરી શક્યું નથી. હવામાન વિભાગે આ સ્થિતિને જોતા ગુજરાત માટે ચોમાસાને લઇને માઠા સમયાર આપ્યાં છે. મોનસૂનની સ્પીડ ધીમી પડતાં આગામી સાત દિવસ બાદ ચોમાસું રાજ્યમાં પહોંચશે. તો ચોમાસાના વરસાદ માટે રાજ્યે હજુ રાહ જોવી પડશે, હવે આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદની આગાહી કરી છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p> હવામાન વિભાગે આગામી 26 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના 10 જિલ્લાઓ અને એક સંઘપ્રદેશમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચો:<a title="<strong> </strong>International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?" href="https://ift.tt/VJZgilY" target="_self"><strong> </strong>International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?</a></strong></p> <p><br />હવામાન વિભાગ મુજબ ચોમાસું હાલ મહારાષ્ટ્રના થોડા વિસ્તારો સુધી જ પહોંચ્યું છે.. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુર તરફ આગળ વધશે.  તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી બનેલ ટ્રફ લાઇનના કારણે  હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.. આજે 16 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..  આવતીકાલે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આ સમય દરમિયાન  પવનની ગતિ વધવાની પણ શક્યતા છે જેના  પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="ચોમાસું ખેંચાતા, રાજય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ખેતી માટે મળશે 10 કલાક વીજળી" href="https://ift.tt/RZX7b2S" target="_self">ચોમાસું ખેંચાતા, રાજય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ખેતી માટે મળશે 10 કલાક વીજળી</a></strong></p> <p><strong>ચોમાસું ગુજરાતમાં કયારે દેશે દસ્તક </strong></p> <p>હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ચોમાસા હજુ સુધી રાજ્યમાં પહોંચ્યું નથી. ચોમાસની ગતિ ધીમી પડી ગઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ 4થી5 સુધી આગળ નહિ વધે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં આગમન બાદ સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. ત્યારે હવામાન વિભાગના આંકલન મુજબ મહારાષ્ટ્રમાં પણ ચોમાસું 24ની આસપાસ સુધી આગળ વધે તેવી કોઇ શક્યતા નથી.</p> <p>હવામાનના જુદા જુદા મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે ચોમાસું 25 જૂન બાદ ફરી  સક્રિય થતું દેખાય છે અને ફરી  25 જૂન બાદ  કોંકણના વિસ્તારો, અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો કેરળ, ગોવા, મહારાષ્ટ્રના વિસ્તારમાં મોનસૂનનો વરસાદ વરસશે. ચોમાસુ 27 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને આવરી લેશે, હવામાન વિભાગની મુજબ 27 જૂનથી મુંબઇમાં ભારે વરસાદનું અનુમાન છે. મુંબઇ વરસાદ બાદ ગુજરાતમાં એક સપ્તાહ બાદ ચોમાસું પહોંચતું હોય છે, જેથી મોનસૂનની ગતિને જોતા 30 જૂન સુધી ગુજરાતમાં મોનસૂન એક્ટિવિટિની સક્રિયતા નથી દેખાતી </p> <p>જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સ, થન્ડરસ્ટ્રોર્મ એક્ટિલિટીના કારણે ગુજરાતમાં છુટછવાયો વરસાદ પડી શકે  છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે.ટૂંકમાં ગુજરાતે હજુ ચોમાસાના આગમન માટે અને ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...