Skip to main content

Gujarat Weather Update: સૌરાષ્ટ્ર સહિત આ રાજ્યના આ ઝોનમાં આગામી 6 દિવસ વરસશે વરસાદ, જાણો વેધર અપડેટ


<p><strong>Gujarat Weather Forecast:</strong> ગુજરાતમાં એક તરફ અસહ્ય ગરમી અને બફારાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત છે. ભાવનગર 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.  </p> <p>આ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી છ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p> <p>ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો એક બાજુ ગરમીથી ત્રાહિમામ છે તો દક્ષિણ ગુજરાતમાં બારમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. <br />13 જૂને કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ વરસ્યો. </p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના  કારણે, ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 19 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. 14 થી 19 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 14 થી 19 જૂન દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. </p> <p><strong>આ પણ વાંચો:<a title=" આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી" href="https://ift.tt/JHY6zbP" target="_self"> આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી</a></strong></p> <p><strong>આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર! વરસાદ ઘટવાની અને ગરમી વધવાની શક્યતા</strong></p> <p>આ વર્ષે દેશના ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગરમાં અલ નીનોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.  અહેવાલ મુજબ દેશના આશરે 197 જિલ્લાઓમાં અલ નીનોની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. અલ નીનોના કારણે ચોમાસાની વરસાદી સિસ્ટમ નબળી પડવાની શક્યતા છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ શકે છે.</p> <p>નિષ્ણાતોનું કહેવું છે કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની તીવ્રતા સૌથી વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળો સામાન્ય રીતે ચોમાસાનો મુખ્ય વરસાદી સમય ગણાય છે. જો અલ નીનો વધુ સક્રિય રહેશે તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ ઓછા વરસાદની સ્થિતિ સર્જાય તો ખેતી, જળાશયો અને પીવાના પાણીની ઉપલબ્ધતા પર પણ તેની અસર પડી શકે છે. સાથે જ ગરમી અને ભેજનું પ્રમાણ વધતા લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...